March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાની સીધી દેખરેખ હેઠળ તમામ ગ્રામ પંચાયતોમાં શરૂ થયેલા જન જાગૃતિના કાર્યક્રમો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: આગામી તા.11મી ઓગસ્‍ટથી ભારત સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હરઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા આજથી દમણ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં રાત્રિ ચૌપાલ, વોર્ડ ગ્રામસભા અને પંચાયત ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાના સીધા નિરીક્ષણ હેઠળ દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં આજથી ચૌપાલ અને ગ્રામસભાનું આયોજન ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે શરૂ કરાયું છે.
દમણ જિલ્લાની તમામ પંચાયતોના સરપંચો, ગ્રામ પંચાયતના સેક્રેટરીઓ આ અભિયાનને સફળ બનાવવા માટે પોતાનો શ્રેષ્‍ઠ પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવદયા ગ્રુપ

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

કાઉન્‍સિલની પ્રથમ બેઠકમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ સુંદર અને રળિયામણું બનાવવા વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

Leave a Comment