Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.27: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે પાકિસ્‍તાની જેલમાં સબડતા દીવ અને ગુજરાતના માછીમારોને છોડાવવા માટે લોકસભામાં જોરદાર માંગણી કરી હતી. તેમણે વિદેશમંત્રીને આ મુદ્દે દરમિયાનગીરી કરવા પણ હાકલ કરી હતી.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે લોકસભામાં જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાની જેલમાં સબડતા કેટલાક માછીમારોની સજા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેમને છોડવામાં નથી આવતા. છેલ્લા 4 વર્ષથી પાકિસ્‍તાન સત્તાવાળાઓએ એક પણ માછીમારને નહીં છોડયા હોવાની પણ જાણકારી લોકસભાને આપી હતી.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભૂતકાળમાં કરેલી દરમિયાનગીરી બાદ પાકિસ્‍તાન સત્તાવાળાઓએ દીવ અને ગુજરાતના માછીમારોને છોડવાના લીધેલા નિર્ણયની પણ યાદ અપાવી હતી.

Related posts

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

vartmanpravah

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

Leave a Comment