Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.27: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે પાકિસ્‍તાની જેલમાં સબડતા દીવ અને ગુજરાતના માછીમારોને છોડાવવા માટે લોકસભામાં જોરદાર માંગણી કરી હતી. તેમણે વિદેશમંત્રીને આ મુદ્દે દરમિયાનગીરી કરવા પણ હાકલ કરી હતી.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે લોકસભામાં જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાની જેલમાં સબડતા કેટલાક માછીમારોની સજા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેમને છોડવામાં નથી આવતા. છેલ્લા 4 વર્ષથી પાકિસ્‍તાન સત્તાવાળાઓએ એક પણ માછીમારને નહીં છોડયા હોવાની પણ જાણકારી લોકસભાને આપી હતી.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભૂતકાળમાં કરેલી દરમિયાનગીરી બાદ પાકિસ્‍તાન સત્તાવાળાઓએ દીવ અને ગુજરાતના માછીમારોને છોડવાના લીધેલા નિર્ણયની પણ યાદ અપાવી હતી.

Related posts

દીવ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવનિયુક્‍ત દીવ કલેકટર અને નવનિયુક્‍ત એસપી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

vartmanpravah

દમણવાડા પંચાયતની લાઈબ્રેરીને ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ દ્વારા પોતાની લાઈબ્રેરીના પુસ્‍તકો ભેટ અપાયા

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં જન જાતિય ગૌરવ દિવસને લઈ નિબંધ લેખન પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment