October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.27: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે પાકિસ્‍તાની જેલમાં સબડતા દીવ અને ગુજરાતના માછીમારોને છોડાવવા માટે લોકસભામાં જોરદાર માંગણી કરી હતી. તેમણે વિદેશમંત્રીને આ મુદ્દે દરમિયાનગીરી કરવા પણ હાકલ કરી હતી.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે લોકસભામાં જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાની જેલમાં સબડતા કેટલાક માછીમારોની સજા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેમને છોડવામાં નથી આવતા. છેલ્લા 4 વર્ષથી પાકિસ્‍તાન સત્તાવાળાઓએ એક પણ માછીમારને નહીં છોડયા હોવાની પણ જાણકારી લોકસભાને આપી હતી.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભૂતકાળમાં કરેલી દરમિયાનગીરી બાદ પાકિસ્‍તાન સત્તાવાળાઓએ દીવ અને ગુજરાતના માછીમારોને છોડવાના લીધેલા નિર્ણયની પણ યાદ અપાવી હતી.

Related posts

દમણ જિલ્લા કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્‍ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ

vartmanpravah

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

દાનહ જિ.પં.ના સભાખંડમાં મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઘન કચરા વ્‍યવસ્‍થાપનની આપેલી સમજ

vartmanpravah

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment