April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

10 દિવસથી સારવાર હેઠળ રહેલા વલસાડ જિલ્લા કર્ણી સેના અધ્‍યક્ષ આલોકસિંહએ દમ તોડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
ડુંગરી વલસાડથી ભિલાડ સુધીનો નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાઓને લઈ લગાતાર વાહન પલટી જવા, ટાયર પંચરો, અથડાવા જેવી ઘટનાઓ સતત 10 દિવસ સુધી ઘટતી રહેલી હતી. જેમાં વાપી હાઈવે ઉપર દમણ કર્ણી સેનાના અધ્‍યક્ષ કનકસિંહ જાડેની કાર ખાડામાં પલટાતા સર્જાયેલ અકસ્‍માતમાં તેમનું સારવારમાં મોત નિપજ્‍યું હતું. તેમની સાથે કારમાં બેઠેલાવલસાડ જિલ્લા રાષ્‍ટ્રિય કર્ણી સેના અધ્‍યક્ષ આલોકસિંહ ગંભીર રીતે ઘવાયા હતા. કોમામાં સારવાર ચાલતી હતી. જ્‍યાં 10 દિવસ બાદ દમ તોડતા કર્ણીસેનાના કાર્યકરોમાં વધુ એકવાર ગમગીની છવાઈ જવા પામી હતી.
વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિના કારસા કહેરમાં અનેક પ્રકારની ત્રાસદી અને ખાના ખરાબી સર્જી હતી. જેમાં સૌથી ખરાબ હાલત ને.હા.48ની થઈ હતી. ઠેર ઠેર અસંખ્‍ય ખાડાઓ પડી જતા હાઈવે યમરાજનો માર્ગ બની ચૂક્‍યો હતો. જેમાં લગાતાર રોજીંદા અકસ્‍માત-વાહન ભટકાવા પલટી મારી જવાના બનાવોમાં અત્‍યાર સુધી સાત નિર્દોષોએ જીવ ગુમાવ્‍યા છે તે પૈકી આજરોજ વલસાડ જિલ્લા કર્ણી સેનાના જિલ્લા અધ્‍યક્ષ આલોકસિંહ જેઓ 10 દિવસથી સારવાર હેઠળ હતા તેમને અંતિમશ્વાસ લેતા સેનામાં શોકની લાગણી પ્રસરી હતી.

Related posts

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment