April 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

કસ્‍તુરબા હોસ્‍પિટલને 81 વર્ષની અવિરત સેવા બદલ અને રાજચંદ્ર હોસ્‍પિટલને આદિવાસી વિસ્‍તારમાં સેવા બદલ એવોર્ડ મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લાની ટ્રસ્‍ટ સંચાલિત બે હોસ્‍પિટલને અમદાવાદ ખાતે યોજાયેલા હેલ્‍થકેર ઓનર્સ કોન્‍કલેવ (ણ્‍બ્‍ઘ્‍ંઁ 2024)માં તેમની વિશેષ સેવા બદલ સન્‍માનિત કરાયા હતા અને તેમને સ્‍પેશ્‍યલ એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા. જેમાં વલસાડની કસ્‍તુરબા હોસ્‍પિટલને તેમની 81 વર્ષ સુધીની રાહત દરે શહેરી વિસ્‍તારમાં આપેલી શ્રેષ્ઠ તબીબી સેવા બદલ આયુષ્‍યમાન ભારતના ડિરેક્‍ટર વિક્રમ પગારિયાના હસ્‍તે અને શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલને આદિવાસી વિસ્‍તારમાં વિનામૂલ્‍યે અપાતી તબીબી સેવા બદલ આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સન્‍માન કરાયું હતુ.
વલસાડની કસ્‍તુરબા હોસ્‍પિટલ વલસાડ શહેરમાં 81 વર્ષથી વલસાડ શહેરમાં રાહત દરે ઉચ્‍ચ કક્ષાની તબીબી સેવા આપતી જાણીતી સંસ્‍થા છે. કસ્‍તુરબાની સેવાનો લાભ વલસાડ શહેર જ નહી, જિલ્લાના દર્દીઓ અને પડોશી રાજ્‍ય મહારાષ્‍ટ્રના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે. તેમની ઉચ્‍ચતમ સેવાનો લાભ લેવા પાલઘરથી પણ અનેક દર્દીઓ અહીં આવે છે. ત્‍યારેઅમદાવાદ ખાતે પ્રથમ વખત યોજાયેલા હેલ્‍થ કેર ઓનર્સ કોન્‍કલેવમાં તેમની સેવાની નોંધ લઈ તેમને ખાસ એવોર્ડથી સન્‍માનવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે કસ્‍તુરબા વૈદકિય રાહત મંડળના પ્રમુખ કિરણ ઠાકોરભાઇ દેસાઈએ જણાવ્‍યું કે, કસ્‍તુરબા હોસ્‍પિટલ તેમની રાહદ દરે સમાજમાં તબીબી સારવાર આપવા માટે કટિબદ્ધ છે. તેમજ સમય સાથે ટ્રસ્‍ટીઓના સાથ સહકારથી હોસ્‍પિટલને સતત ઉચ્‍ચતમ ક્‍લિનિકલ સાધનો સાથે સજ્જ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને વલસાડ અને તેની આસપાસના લોકોને તેનો મહત્તમ લાભ થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે.
-000-

Related posts

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

vartmanpravah

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા 8 વર્ષમાં પ્રાથમિક શિક્ષણથી લઈ યુનિવર્સિટી સ્‍તર સુધીના શિક્ષણને લોકાભિમુખ-વિદ્યાર્થીલક્ષી બનાવવા કરેલા અનેક પ્રયાસો

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

Leave a Comment