September 7, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ન.પા. દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું થનારૂં વેચાણ

હર ઘર તિરંગા યોજનાને સફળ બનાવવા નગરપાલિકાના કાઉન્‍સિલરો સાથે ચીફ ઓફિસરે કરેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: આઝાદીની નવી ઊર્જાના સંચારના પ્રયાસો અગામી તા.13 થી 15 ઓગસ્‍ટ, 2022 દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘ઘર ઘર રાષ્‍ટ્રધ્‍વજ’ લહેરાવવા કરેલી હાકલ અંતર્ગત દમણ નગરપાલિકા દ્વારા આજે ચીફ ઓફિસરની અધ્‍યક્ષતામાં કાઉન્‍સિલરો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દમણ નગરપાલિકાના દરેક ઘરો ઉપર રાષ્‍ટ્રધ્‍વજ લહેરાય તે માટે ઘર ઘર જઈ જાગૃતિ ફેલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. દમણ નગરપાલિકા દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું વેચાણ પણ કરાનારૂં હોવાની માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં દમણ નગરપાલિકાના કાઉન્‍સિલરોએ આમજનતાને અપીલ કરી છે કે, દરેક ઘર, ફલેટ અને બિલ્‍ડીંગ તથા દુકાનો ઉપર દરેક જગ્‍યાએ તિરંગો ફરકાવવામાં આવે જેથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવી શકાશે. આ બેઠકમાં દમણ ન.પા.ના ચીફ ઓફિસર, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, શ્રી ચંદ્રગીરી ઈશ્વર, શ્રી વિનય પટેલ, શ્રીમતી અનિતા પટેલ, શ્રીમતી સોહિના પટેલ, શ્રી પ્રમોદરાણા, શ્રીમતી ફિરદોશ બાનુ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

પંજાબ: ફિરોજપુરમાં પી.એમ. નરેન્‍દ્ર મોદીની સુરક્ષાની સર્જાયેલી ક્ષતિના વિરોધમાં વલસાડ ભાજપ દ્વારા દેખાવો-સુત્રોચ્‍ચાર કર્યા

vartmanpravah

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

Leave a Comment