Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ન.પા. દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું થનારૂં વેચાણ

હર ઘર તિરંગા યોજનાને સફળ બનાવવા નગરપાલિકાના કાઉન્‍સિલરો સાથે ચીફ ઓફિસરે કરેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: આઝાદીની નવી ઊર્જાના સંચારના પ્રયાસો અગામી તા.13 થી 15 ઓગસ્‍ટ, 2022 દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘ઘર ઘર રાષ્‍ટ્રધ્‍વજ’ લહેરાવવા કરેલી હાકલ અંતર્ગત દમણ નગરપાલિકા દ્વારા આજે ચીફ ઓફિસરની અધ્‍યક્ષતામાં કાઉન્‍સિલરો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દમણ નગરપાલિકાના દરેક ઘરો ઉપર રાષ્‍ટ્રધ્‍વજ લહેરાય તે માટે ઘર ઘર જઈ જાગૃતિ ફેલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. દમણ નગરપાલિકા દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું વેચાણ પણ કરાનારૂં હોવાની માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં દમણ નગરપાલિકાના કાઉન્‍સિલરોએ આમજનતાને અપીલ કરી છે કે, દરેક ઘર, ફલેટ અને બિલ્‍ડીંગ તથા દુકાનો ઉપર દરેક જગ્‍યાએ તિરંગો ફરકાવવામાં આવે જેથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવી શકાશે. આ બેઠકમાં દમણ ન.પા.ના ચીફ ઓફિસર, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, શ્રી ચંદ્રગીરી ઈશ્વર, શ્રી વિનય પટેલ, શ્રીમતી અનિતા પટેલ, શ્રીમતી સોહિના પટેલ, શ્રી પ્રમોદરાણા, શ્રીમતી ફિરદોશ બાનુ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

કેબિનેટ મંત્રીમનસુખભાઈ માંડવીયાએ VGELની મુલાકાત લઈ પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

બામણવેલથી પસાર થતી કેનાલના વર્ષો જૂના પુલ ઉપર સેફટી ગ્રીલના અભાવે મોટી દુર્ઘટનાની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

Leave a Comment