January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

(વર્તણાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31
આજરોજ ઉમરગામ ટાઉન સ્‍થિત બારીયા સમાજ હોલ ખાતે ઉમરગામ અને નારગોલ મરીન પોલીસ મથક દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગૃહ વિભાગ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલું નવું પોર્ટલના માધ્‍યમથી મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ઈ-એફઆઈઆર રજીસ્‍ટર કરવા માટેની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી. ઉમરગામ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર.બી. વનાર અને નારગોલ મરીન પોલીસ મથકના પી.આઈ શ્રી બી.ડી. જીત્‍યાએ ઉપસ્‍થિતો સમક્ષ ઓનલાઈન એફઆઈઆરની પદ્ધતિ વિશે સમજણ આપ્‍યા બાદ ટાઉન વિસ્‍તાર અને મુખ્‍ય પોઈન્‍ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું મહત્‍વ સમજાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પાલિકાના ઉપપ્રમુખશ્રી ગણેશભાઈ બારી, કારોબારી અધ્‍યક્ષ શ્રી ગૌરવભાઈ કોન્‍ટ્રાક્‍ટર સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.
—-

Related posts

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

vartmanpravah

સેલવાસમાં એચ.પી. ગેસ એજન્‍સી દ્વારા ગ્રાહકોને સમયસર સિલિન્‍ડર પહોંચાડવા નનૈયો

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરવાવાળા કોંગ્રેસ પ્રવક્‍તા પવન ખેડા વિરૂદ્ધ દમણ જિ.પં. સભ્‍ય રીના પટેલે દમણ પોલીસને કરેલી ફરિયાદ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment