Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

(વર્તણાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31
આજરોજ ઉમરગામ ટાઉન સ્‍થિત બારીયા સમાજ હોલ ખાતે ઉમરગામ અને નારગોલ મરીન પોલીસ મથક દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગૃહ વિભાગ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલું નવું પોર્ટલના માધ્‍યમથી મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ઈ-એફઆઈઆર રજીસ્‍ટર કરવા માટેની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી. ઉમરગામ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર.બી. વનાર અને નારગોલ મરીન પોલીસ મથકના પી.આઈ શ્રી બી.ડી. જીત્‍યાએ ઉપસ્‍થિતો સમક્ષ ઓનલાઈન એફઆઈઆરની પદ્ધતિ વિશે સમજણ આપ્‍યા બાદ ટાઉન વિસ્‍તાર અને મુખ્‍ય પોઈન્‍ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું મહત્‍વ સમજાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પાલિકાના ઉપપ્રમુખશ્રી ગણેશભાઈ બારી, કારોબારી અધ્‍યક્ષ શ્રી ગૌરવભાઈ કોન્‍ટ્રાક્‍ટર સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.
—-

Related posts

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

રોગી કલ્‍યાણ સમિતિની બેઠકમાં દાનહના આગેવાન ધારાશાષાી અને યુવા નેતા સની ભીમરાએ વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મુંબઈ સુરતના નિષ્‍ણાત ડોક્‍ટરોની સેવા લેવા રજૂ કરેલો પ્રસ્‍તાવ

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

Leave a Comment