(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, , તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને નિર્દેશક શ્રી મનોજ કુમાર પાંડેયના નેતૃત્વમાં સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્દ્રમાં કાર્યરત આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલને દાદરા નગર હવેલી અને દમણ-દીવથી ‘‘શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર્તા”ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર આજે નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમ પ્રોટોકોલ ફોર મેનેજમેન્ટ ઓફમાલન્યુરિસ્ટ ચિલ્ડ્રનના સમારંભમાં શુભારંભ અવસર ઉપર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સુપ્રત કર્યો હતો.
સંઘપ્રદેશની સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્દ્રની આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલ સમગ્ર પ્રદેશ માટે ગૌરવરૂપ પણ બની છે.