April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

‘‘બઢે ચલો-લહેરા દો, હર ઘર તિરંગા ફેહરા દો”ના સૂત્ર સાથે કલાકારોએ તિરંગા પ્રત્‍યે ફેલાવેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.0પ
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આપણો દેશ આઝાદીનાના 7પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘આઝાદીનો અમૃત મહોત્‍સવ’ ઉજવી રહ્યો છે. આ ઉત્‍સવ એ લોકોને સમર્પિત છે જેમણે માત્ર ભારતને તેની ઉત્‍ક્રાંતિ યાત્રામાં લાવવાની મહત્‍વની ભૂમિકા ભજવી, પરંતુ તેની પાછળ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 2.0ને સક્રિય કરવાના વિઝનની આત્‍મનિર્ભર ભારત બનાવવાની તાકાત અને ક્ષમતા છે. તા ઉત્‍સવ એવા લોકોને પણ સમર્પિત છે જેમણે ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામ અને ભારતની પ્રગતિમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. ભારત સરકાર દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ના સક્ષમ નેતૃત્‍વ હેઠળ દમણમાં આ અભિયાનને જોરશોરથી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે સંસ્‍કૃતિ મંત્રાલય તરફથી ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટેમોટી દમણ લાઈટ હાઉસ બીચ પાસે સાંજે પ વાગ્‍યે કલાકારો દ્વારા ફલેશ મોબ ડાન્‍સ કરવામાં આવ્‍યો હતો. કલાકારોએ નૃત્‍ય દ્વારા પ્રવાસીઓ અને લોકોને હર ઘર તિરંગા વિશે જાગૃત કર્યા હતા અને તેને સફળ બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમનું સમગ્ર દેશમાં વિવિધ સ્‍થળોએથી જીવંત પ્રસારણ કરવામાં આવ્‍યું હતું. દમણ કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, એસપી શ્રી અમિત શર્મા, એસડીપોઅી શ્રી મણિભૂષણ સિંઘ, બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમેખ નવિનભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આપણો દેશ આઝાદીનાના 7પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘આઝાદીનો અમૃત મહોત્‍સવ’ ઉજવી રહ્યો છે. આ ઉત્‍સવ એ લોકોને સમર્પિત છે જેમણે માત્ર ભારતને તેની ઉત્‍ક્રાંતિ યાત્રામાં લાવવાની મહત્‍વની ભૂમિકા ભજવી, પરંતુ તેની પાછળ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 2.0ને સક્રિય કરવાના વિઝનની આત્‍મનિર્ભર ભારત બનાવવાની તાકાત અને ક્ષમતા છે. તા ઉત્‍સવ એવા લોકોને પણ સમર્પિત છે જેમણે ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામ અને ભારતની પ્રગતિમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. ભારત સરકાર દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ના સક્ષમ નેતૃત્‍વ હેઠળ દમણમાં આ અભિયાનને જોરશોરથી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે સંસ્‍કૃતિ મંત્રાલય તરફથી ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટેમોટી દમણ લાઈટ હાઉસ બીચ પાસે સાંજે પ વાગ્‍યે કલાકારો દ્વારા ફલેશ મોબ ડાન્‍સ કરવામાં આવ્‍યો હતો. કલાકારોએ નૃત્‍ય દ્વારા પ્રવાસીઓ અને લોકોને હર ઘર તિરંગા વિશે જાગૃત કર્યા હતા અને તેને સફળ બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમનું સમગ્ર દેશમાં વિવિધ સ્‍થળોએથી જીવંત પ્રસારણ કરવામાં આવ્‍યું હતું. દમણ કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, એસપી શ્રી અમિત શર્મા, એસડીપોઅી શ્રી મણિભૂષણ સિંઘ, બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમેખ નવિનભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

વાપી નગરના લોકોએ સતત 20 વર્ષ માટે ભાજપને પાલિકાની શાસન ધૂરા સંભાળવા આપેલો જનાદેશ

vartmanpravah

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

vartmanpravah

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ખાનવેલમાં સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment