October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલીના ઉમરકૂઈ ગામે આવેલ એક કંપનીમાંથી કંપનીમાં જ કામ કરતા કામદારો 30 બંડલ તારની ચોરી કરી ગયા હતા જે અંગેની ફરિયાદ કિશનસિંહ હુકમસિંહ દહિયા સિસ્‍ટમેટિક ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજરે નોંધાવી હતી.
સેલવાસ પોલીસે આઈપીસી 381, 34 મુજબ ગુનો નોંધી તપાસહાથ ધરી હતી. કંપની દ્વારા નિર્મિત બે લાખના જસ્‍તી તારના 30 બંડલો ચોરી થયા હતા. આ ઘટનામાં પોલીસે કંપનીમાં જ કામ કરતા ઓમકારનાથ પ્રયાગદત્ત ડૂબે (ઉ.વ.50) રહેવાસી સરીગામ, આશિષ સુભાષ ગુપ્તા (ઉ.વ.27) રહેવાસી ભીલાડ જેઓએ જૈનુલ ઉર્ફે નવાબ અય્‍યુબ ખાન (ઉ.વ.29) રહેવાસી બાવીસા ફળીયા જેની સાથે ચોરીને અંજામ આપ્‍યો હતો. ત્રીજા આરોપીને પણ શોધી કાઢી ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી રૂા.1,53,333ની મૂલ્‍યના ચોરી કરવામાં આવેલ જસ્‍તી તારના 23 બંડલ જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનની રજૂઆત બાદ પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ સ્‍થિતિનો પંચક્‍યાસ કરી જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરેલો અહેવાલ

vartmanpravah

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

vartmanpravah

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment