April 27, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલીના ઉમરકૂઈ ગામે આવેલ એક કંપનીમાંથી કંપનીમાં જ કામ કરતા કામદારો 30 બંડલ તારની ચોરી કરી ગયા હતા જે અંગેની ફરિયાદ કિશનસિંહ હુકમસિંહ દહિયા સિસ્‍ટમેટિક ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજરે નોંધાવી હતી.
સેલવાસ પોલીસે આઈપીસી 381, 34 મુજબ ગુનો નોંધી તપાસહાથ ધરી હતી. કંપની દ્વારા નિર્મિત બે લાખના જસ્‍તી તારના 30 બંડલો ચોરી થયા હતા. આ ઘટનામાં પોલીસે કંપનીમાં જ કામ કરતા ઓમકારનાથ પ્રયાગદત્ત ડૂબે (ઉ.વ.50) રહેવાસી સરીગામ, આશિષ સુભાષ ગુપ્તા (ઉ.વ.27) રહેવાસી ભીલાડ જેઓએ જૈનુલ ઉર્ફે નવાબ અય્‍યુબ ખાન (ઉ.વ.29) રહેવાસી બાવીસા ફળીયા જેની સાથે ચોરીને અંજામ આપ્‍યો હતો. ત્રીજા આરોપીને પણ શોધી કાઢી ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી રૂા.1,53,333ની મૂલ્‍યના ચોરી કરવામાં આવેલ જસ્‍તી તારના 23 બંડલ જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

વાપી ફોર્ટીશેડ કંપની નજીક ખુલ્લા મેદાનમાંજુગાર રમતા પાંચ જુગારિયા ઝડપાયા

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે બેઠક કરી વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા કરેલી હાકલ : દાનહ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે મંડી પડવા પણ કરેલી તાકિદ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્‍પિટલમાં શ્રી વિનોબા ભાવે અને દમણની નર્સિંગ કોલેજના 100 ટકા વિદ્યાર્થીઓને મળેલું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

vartmanpravah

Leave a Comment