August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલીના ઉમરકૂઈ ગામે આવેલ એક કંપનીમાંથી કંપનીમાં જ કામ કરતા કામદારો 30 બંડલ તારની ચોરી કરી ગયા હતા જે અંગેની ફરિયાદ કિશનસિંહ હુકમસિંહ દહિયા સિસ્‍ટમેટિક ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજરે નોંધાવી હતી.
સેલવાસ પોલીસે આઈપીસી 381, 34 મુજબ ગુનો નોંધી તપાસહાથ ધરી હતી. કંપની દ્વારા નિર્મિત બે લાખના જસ્‍તી તારના 30 બંડલો ચોરી થયા હતા. આ ઘટનામાં પોલીસે કંપનીમાં જ કામ કરતા ઓમકારનાથ પ્રયાગદત્ત ડૂબે (ઉ.વ.50) રહેવાસી સરીગામ, આશિષ સુભાષ ગુપ્તા (ઉ.વ.27) રહેવાસી ભીલાડ જેઓએ જૈનુલ ઉર્ફે નવાબ અય્‍યુબ ખાન (ઉ.વ.29) રહેવાસી બાવીસા ફળીયા જેની સાથે ચોરીને અંજામ આપ્‍યો હતો. ત્રીજા આરોપીને પણ શોધી કાઢી ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી રૂા.1,53,333ની મૂલ્‍યના ચોરી કરવામાં આવેલ જસ્‍તી તારના 23 બંડલ જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીની ગ્રામ પંચાયતોમાં જાહેર સભા અને ગ્રામસભાઓ યોજાઈ

vartmanpravah

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah

Leave a Comment