Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

વિદ્યાર્થીઓ, સ્‍ટાફ, ટ્રસ્‍ટીગણમાં દેશપ્રેમની ઝાંખી જોવા મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ભારત દેશએ આઝાદીના સ્‍વમાનભેર 75 વર્ષ પુરા કર્યા તે બદલ દેશભરમાં આઝાદી ના અમૃત મહોત્‍સવની અનેક જુદા જુદા કાર્યક્રમો દ્વારા જુસ્‍સાભેર ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત આજે સોમવારેસલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી ના અમૃત મહોત્‍સવની તિરંગા રેલી યોજાઈ હતી. જેમાં કોલેજ પરિવાર જોડાયો હતો.
સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આજે આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન હેઠળ હર ઘર તિરંગાની ઉમંગભેર રેલી યોજાઈ હતી. રેલી કોલેજ કેમ્‍પસમાં એકેડેમીક ડીરેક્‍ટર ડો.શૈલેષ લુહાર, આચાર્ય ડો.સચીન નારખડે દ્વારા તિરંગા યાત્રાનું માર્ગદર્શન અપાયું હતું. ત્‍યારબાદ વિદ્યાર્થીઓએ રેલીનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થીઓ, કોલેજ સ્‍ટાફ, ટ્રસ્‍ટીગણએ ભાગ લઈને દેશભક્‍તિના વિવિધ નારાઓ લગાવ્‍યા હતા. હર ઘર તિરંગાની જેમ વિદ્યાર્થીઓ ઝુમી ઉઠયા હતા. સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી, કપિલદાસજી, રામસ્‍વામીએ સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર અને બાલ ભવન ઉપપ્રમુખ સૌરભ મિશ્રાના માર્ગદર્શન હેઠળ દમણ બાલ ભવન બોર્ડના બાળકોએ બાંધકામ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

vartmanpravah

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

vartmanpravah

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

Leave a Comment