Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

વિદ્યાર્થીઓ, સ્‍ટાફ, ટ્રસ્‍ટીગણમાં દેશપ્રેમની ઝાંખી જોવા મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ભારત દેશએ આઝાદીના સ્‍વમાનભેર 75 વર્ષ પુરા કર્યા તે બદલ દેશભરમાં આઝાદી ના અમૃત મહોત્‍સવની અનેક જુદા જુદા કાર્યક્રમો દ્વારા જુસ્‍સાભેર ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત આજે સોમવારેસલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી ના અમૃત મહોત્‍સવની તિરંગા રેલી યોજાઈ હતી. જેમાં કોલેજ પરિવાર જોડાયો હતો.
સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આજે આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન હેઠળ હર ઘર તિરંગાની ઉમંગભેર રેલી યોજાઈ હતી. રેલી કોલેજ કેમ્‍પસમાં એકેડેમીક ડીરેક્‍ટર ડો.શૈલેષ લુહાર, આચાર્ય ડો.સચીન નારખડે દ્વારા તિરંગા યાત્રાનું માર્ગદર્શન અપાયું હતું. ત્‍યારબાદ વિદ્યાર્થીઓએ રેલીનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થીઓ, કોલેજ સ્‍ટાફ, ટ્રસ્‍ટીગણએ ભાગ લઈને દેશભક્‍તિના વિવિધ નારાઓ લગાવ્‍યા હતા. હર ઘર તિરંગાની જેમ વિદ્યાર્થીઓ ઝુમી ઉઠયા હતા. સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી, કપિલદાસજી, રામસ્‍વામીએ સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

vartmanpravah

કપરાડાની અંભેટી પ્રાથમિક અને માધ્‍યમિકશાળાઓમાં નેશનલ હેલ્‍થના મિશન ડાયરેક્‍ટર આઈએએસ રેમ્‍યા મોહનની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

vartmanpravah

મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ દમણ-દીવ ભાજપના કાર્યકરોનો પણ બુલંદ બનેલો જોમ અને જુસ્‍સો

vartmanpravah

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment