April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

વિદ્યાર્થીઓ, સ્‍ટાફ, ટ્રસ્‍ટીગણમાં દેશપ્રેમની ઝાંખી જોવા મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ભારત દેશએ આઝાદીના સ્‍વમાનભેર 75 વર્ષ પુરા કર્યા તે બદલ દેશભરમાં આઝાદી ના અમૃત મહોત્‍સવની અનેક જુદા જુદા કાર્યક્રમો દ્વારા જુસ્‍સાભેર ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત આજે સોમવારેસલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી ના અમૃત મહોત્‍સવની તિરંગા રેલી યોજાઈ હતી. જેમાં કોલેજ પરિવાર જોડાયો હતો.
સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આજે આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન હેઠળ હર ઘર તિરંગાની ઉમંગભેર રેલી યોજાઈ હતી. રેલી કોલેજ કેમ્‍પસમાં એકેડેમીક ડીરેક્‍ટર ડો.શૈલેષ લુહાર, આચાર્ય ડો.સચીન નારખડે દ્વારા તિરંગા યાત્રાનું માર્ગદર્શન અપાયું હતું. ત્‍યારબાદ વિદ્યાર્થીઓએ રેલીનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થીઓ, કોલેજ સ્‍ટાફ, ટ્રસ્‍ટીગણએ ભાગ લઈને દેશભક્‍તિના વિવિધ નારાઓ લગાવ્‍યા હતા. હર ઘર તિરંગાની જેમ વિદ્યાર્થીઓ ઝુમી ઉઠયા હતા. સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી, કપિલદાસજી, રામસ્‍વામીએ સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

vartmanpravah

દમણ ખાતે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં દીવ જિલ્લાના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ કિરીટભાઈ વાજાના નેતૃત્‍વમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

Leave a Comment