July 29, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને બંધનનો તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આપણી વૈદિક સંસ્‍કળતિ અને પરંપરાનો વારસો જળવાઈ રહે અને તેનુ સાચું મહત્‍વ વિદ્યાર્થીઓ સમજે તેવા ઉમદા હેતુસર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસના ઉપલક્ષમાં શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી રક્ષાબંધનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં ધો 1 થી 4 ના કુલ 159 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં દરેક ભાઈઓના હાથ ઉપર બહેનોએ રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી ભાઈઓનું મોં મીઠું કરાવવામાં આવ્‍યું હતું. તો ભાઈઓ દ્વારા દરેક બહેનોને ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તેમજ સર્વે શિક્ષકગણો દ્વારા દરેક વિદ્યાર્થીઓને રક્ષાબંધનપર્વની શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી.

Related posts

મજીગામ-સમરોલીની હદમાં કાલાખાડી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર નાંખેલા આડેધડ કચરા ઢગલાને સમરોલી ગ્રામ પંચાયતે ખસેડયો

vartmanpravah

પારનેરા હાઈવે ઉપર લડતા ઢોર બાઈકને ભટકાતા નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રક ફરી વળતા દર્દનાક મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત દાદરા નગર હવેલીના બે વિદ્યાર્થીઓ નવી દિલ્‍હી ખાતે આયોજિત 78મા સ્‍વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે

vartmanpravah

Leave a Comment