Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને બંધનનો તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આપણી વૈદિક સંસ્‍કળતિ અને પરંપરાનો વારસો જળવાઈ રહે અને તેનુ સાચું મહત્‍વ વિદ્યાર્થીઓ સમજે તેવા ઉમદા હેતુસર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસના ઉપલક્ષમાં શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી રક્ષાબંધનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં ધો 1 થી 4 ના કુલ 159 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં દરેક ભાઈઓના હાથ ઉપર બહેનોએ રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી ભાઈઓનું મોં મીઠું કરાવવામાં આવ્‍યું હતું. તો ભાઈઓ દ્વારા દરેક બહેનોને ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તેમજ સર્વે શિક્ષકગણો દ્વારા દરેક વિદ્યાર્થીઓને રક્ષાબંધનપર્વની શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી.

Related posts

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્‍ય અને વિશાળ રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

Leave a Comment