October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: સમગ્ર દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. સરકાર તરફથી પણ આઝાદી કા અમૃત મહોત્‍સવના નેજા હેઠળ અનેક કાર્યક્રમો અને તારીખ 13 થી 15દરમ્‍યાન હર ઘર તિરંગાનું આયોજન કરી ઘરે ઘરે રાષ્‍ટ્રધ્‍વજ પહોંચાડી તેને લહેરાવવાનું નક્કી કરેલ છે.
પારડી વકીલ મંડળ તરફથી પણ આઝાદીના 75માં વર્ષના અનુસંધાને એક તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલીમાં પારડી વકીલ મંડળના તમામ વકીલો, સભ્‍યો, હોદેદારો તથા સિનિયર વકીલો સહિત મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.
આ તિરંગા બાઈક રેલી પારડી કોર્ટથી દમણીઝાંપા, દમણી ઝાંપાથી કંસારવાડ અને બજારમાં ફરી પરત કોર્ટ પરિસર ખાતે આ રેલી આવી પહોંચી સૌ વકીલોના મુખેથી શહીદો અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી સમગ્ર વાતાવરણ દેશ ભક્‍તિમય બની ગયું હતું. આ દરમ્‍યાન કંસારવાડ ખાતે આવેલ મહાત્‍મા ગાંધીજીની મૂર્તિને સુતરની આંટી પહેરાવી એમના દર્શન કરી રાષ્‍ટ્ર ગીત પણ ગાવામાં આવ્‍યું હતું.
પારડી વકીલ મંડળના પ્રમુખ અને સિનિયર વકીલ ભરતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્‍યુ હતું કે દેશની આઝાદી માટે મહેનત કરનાર દેશ ભક્‍તો, સ્‍વાતંત્ર્ય સેનાનીઓ અને આઝાદી માટે શહિદી વ્‍હોરનારા શહિદોની માનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ હતું અને આ આઝાદી માટે વકીલોનો પણ ખૂબ મોટો ફાળો અને મહત્‍વ રહેલું છે.
આ પ્રસંગે તેમણે આઝાદીના 50 વર્ષ દરમ્‍યાનકોંગ્રેસ-ભાજપ એક થઈ પારડી ખાતે બજારમાં રાતે 12:00 કલાકે નીકળેલ રેલીના સંસ્‍મરણો યાદ કર્યા હતા.

Related posts

કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્‍ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્‍વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્‍સ સેમિનાર યોજાયો

vartmanpravah

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment