February 4, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.રર
આજે ભારતીય જનતા પાર્ટીદાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં દમણ-દીવ પ્રદેશ લઘુમતી મોરચાની એક ખાસ બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં શ્રી દીપેશભાઈ ટંડેલ અને પ્રદેશ લઘુમતી મોરચાના પ્રભારી શ્રી યુનુશ તલત ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
સભાનું સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સર્વ સમાવેશક છે, આ વિચારધારા ધરાવતો આ પક્ષ વિશ્વનો સૌથી મોટો પક્ષ છે. આપ સૌએ સાથે મળી પક્ષના સંગઠનને મજબૂત બનાવવાનું છે. જે માટે, હું ગ્રાઉન્‍ડ લેવલ પર કામ કરવા માટે આહ્‌વાન કરું છું.
આ અવસરે મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રભારી શ્રી યુનુશ તલટે ઉપસ્‍થિત અધિકારીઓને સંગઠનાત્‍મક માર્ગદર્શન આપ્‍યું હતું. લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી શોકતભાઈ મિઠાણીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લઘુમતી મોરચા દ્વારા પક્ષના જનાધારને વધારવા થઈ રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી.
આ અવસરે લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી વસીમ સૈયદ, શ્રી મુસ્‍તાકભાઈ તવા, દમણ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી ગુલામ ઈસ્‍માઈલ ઈમામ, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી બી.એમ.માછી, દમણ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના તમામ હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે દશેરાના દા’ડે મોપેડ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાંપાણીમાં ડૂબી જતાં થયેલું મોત

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

Leave a Comment