July 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશવલસાડ

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર રમણભાઈ પટેલનું પોલીસ અને ડીડીઓએ સન્‍માન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વલસાડ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ તા.26-27 ના રોજ કોવિડની બીજી લહેરમાં ટપોટપ લોકો મરી રહ્યા હતા. તે સમયે અતુલમાં કૃત્રિમ સ્‍મશાનની સુવિધા પણ ઉભી કરવી પડેલી. આ સ્‍મશાનમાં લગાતાર બે દિવસમાં 103 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરનારા સેવાભાવી શ્રી રમણભાઈ પટેલનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાવાયું છે.
કોવિડની બીજી કારમી અને ભયંકર લહેર 2020 એપ્રિલમાં આવી હતી. તા.20 થી 25 વચ્‍ચે વલસાડ વિસ્‍તારના લોકો ટપોટપ મરી રહ્યા હતા. સ્‍મશાન ગૃહોમાં શબોની કતારો લાગતી હતી તેવા દુઃખદ સમયે અતુલ પાસે કૃત્રિમ સ્‍મશાન બનાવાયું હતું. આ સ્‍મશાનમાં એપ્રિલ તા.26-27ના રોજ 103 જેટલા શબોનું સેવાભાવી એવા આદિવાસી શ્રી રમણભાઈ પટેલે ખડેપગે ઉભા કરી અગ્નિ સંસ્‍કાર કરેલા. જેની નોંધ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાઈ અને તેમને સન્‍માન કરાયેલું તેથી વલસાડમાં એસ.પી. અને ડી.ડી.ઓ. અને સામાજીક આગેવાનોએ સેવાના ભેખધારી શ્રી રમણભાઈ પટેલનું ખાસ સન્‍માન કર્યુંહતું.

Related posts

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્‍તક પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નવમા વર્ષના નૂતન કાર્યકાળના આરંભ સાથે હવે દાનહ અને દમણ-દીવ તમામ સમસ્‍યાઓથી મુક્‍ત થવા તરફઃ સમગ્ર દેશ માટે મોડેલ પ્રદેશ બનશે

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવ ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારીઓના આયોગના પ્રમુખનું કરેલું ઉષ્‍માભર્યુ સ્‍વાગત

vartmanpravah

Leave a Comment