Vartman Pravah
Breaking Newsદેશવલસાડ

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર રમણભાઈ પટેલનું પોલીસ અને ડીડીઓએ સન્‍માન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વલસાડ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ તા.26-27 ના રોજ કોવિડની બીજી લહેરમાં ટપોટપ લોકો મરી રહ્યા હતા. તે સમયે અતુલમાં કૃત્રિમ સ્‍મશાનની સુવિધા પણ ઉભી કરવી પડેલી. આ સ્‍મશાનમાં લગાતાર બે દિવસમાં 103 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરનારા સેવાભાવી શ્રી રમણભાઈ પટેલનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાવાયું છે.
કોવિડની બીજી કારમી અને ભયંકર લહેર 2020 એપ્રિલમાં આવી હતી. તા.20 થી 25 વચ્‍ચે વલસાડ વિસ્‍તારના લોકો ટપોટપ મરી રહ્યા હતા. સ્‍મશાન ગૃહોમાં શબોની કતારો લાગતી હતી તેવા દુઃખદ સમયે અતુલ પાસે કૃત્રિમ સ્‍મશાન બનાવાયું હતું. આ સ્‍મશાનમાં એપ્રિલ તા.26-27ના રોજ 103 જેટલા શબોનું સેવાભાવી એવા આદિવાસી શ્રી રમણભાઈ પટેલે ખડેપગે ઉભા કરી અગ્નિ સંસ્‍કાર કરેલા. જેની નોંધ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાઈ અને તેમને સન્‍માન કરાયેલું તેથી વલસાડમાં એસ.પી. અને ડી.ડી.ઓ. અને સામાજીક આગેવાનોએ સેવાના ભેખધારી શ્રી રમણભાઈ પટેલનું ખાસ સન્‍માન કર્યુંહતું.

Related posts

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક, તત્‍કાલિન કલેક્‍ટર સહિત એફ.આઈ.આર.માં સામેલ તમામને રાહત – મુંબઈ હાઈકોર્ટે મોહન ડેલકર આત્‍મહત્‍યા પ્રકરણમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ્‌ કરવા જારી કરેલો આદેશ

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

Leave a Comment