Vartman Pravah
Breaking Newsદેશવલસાડ

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર રમણભાઈ પટેલનું પોલીસ અને ડીડીઓએ સન્‍માન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વલસાડ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ તા.26-27 ના રોજ કોવિડની બીજી લહેરમાં ટપોટપ લોકો મરી રહ્યા હતા. તે સમયે અતુલમાં કૃત્રિમ સ્‍મશાનની સુવિધા પણ ઉભી કરવી પડેલી. આ સ્‍મશાનમાં લગાતાર બે દિવસમાં 103 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરનારા સેવાભાવી શ્રી રમણભાઈ પટેલનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાવાયું છે.
કોવિડની બીજી કારમી અને ભયંકર લહેર 2020 એપ્રિલમાં આવી હતી. તા.20 થી 25 વચ્‍ચે વલસાડ વિસ્‍તારના લોકો ટપોટપ મરી રહ્યા હતા. સ્‍મશાન ગૃહોમાં શબોની કતારો લાગતી હતી તેવા દુઃખદ સમયે અતુલ પાસે કૃત્રિમ સ્‍મશાન બનાવાયું હતું. આ સ્‍મશાનમાં એપ્રિલ તા.26-27ના રોજ 103 જેટલા શબોનું સેવાભાવી એવા આદિવાસી શ્રી રમણભાઈ પટેલે ખડેપગે ઉભા કરી અગ્નિ સંસ્‍કાર કરેલા. જેની નોંધ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાઈ અને તેમને સન્‍માન કરાયેલું તેથી વલસાડમાં એસ.પી. અને ડી.ડી.ઓ. અને સામાજીક આગેવાનોએ સેવાના ભેખધારી શ્રી રમણભાઈ પટેલનું ખાસ સન્‍માન કર્યુંહતું.

Related posts

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

ચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ રમત ગમત વિભાગ દ્વારા ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ સ્‍પધાઈ યોજાઈ

vartmanpravah

Leave a Comment