December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આજે તારીખ 11 ઓગસ્‍ટ, 2022 ગુરૂવારના રોજ પવિત્ર રક્ષાબંધનના પર્વએ ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ બદલવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, ગત 7મી ઓગસ્‍ટ, 2022ના રોજ યોજાયેલ શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ, દમણની વાર્ષિક સાધારણ સભામાં શ્રી અપૂર્વ પાઠકને સમાજના પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. એમના પ્રમુખપદ હેઠળ સમાજના આ પ્રથમ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખો શ્રી રાજેશભાઈ ઉપાધ્‍યાય અને શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ તથા ઉપ પ્રમુખ શ્રી રાજીવ ભટ્ટ અને ભાજપ શહેર પ્રમુખ શ્રી હિરેન જોષી અન્‍ય જ્ઞાતિ બંધુઓ સાથે ખાસ જોડાયા હતા. સર્વ જ્ઞાતિ બંધુઓએ સાથે મળી ભોળાનાથનાસાંનિધ્‍યમાં યજ્ઞોપવિત્‌ બદલવાનો આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Related posts

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

પારડીમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્‍યક્ષ સ્‍થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્‍પલ વડી કચેરીએ મોકલાવાયા

vartmanpravah

Leave a Comment