April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

  • મોટી દમણના લાઈટ હાઉસ બીચ નજીક એમ્‍ફીથિએટર ખાતે ઉપસ્‍થિત જનમેદનીએ મૌન પાળી સામાજિક સદ્‌ભાવ અને માનવ સશક્‍તિકરણની ભાવનાને ઔર મજબુત બનાવવા કરેલો સંકલ્‍પ

  • સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નવિનભાઈ પટેલ, નગરપાલિકા અધ્‍યક્ષ સોનલબેન પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, ઔદ્યોગિક આલમના પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ તથા આમ નાગરિકોની રહેલી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાન પર, ભારત આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી કરી રહ્યો છે. સાથે જ દેશના ભાગલાની પીડાને ભૂલવી મુશ્‍કેલ છે. દેશના વિભાજનની ભયાનકતાને યાદ કરવા માટે, વડાપ્‍રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 14 ઓગસ્‍ટને ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આજે દમણમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે એમ્‍ફીથિયેટર, ન્‍યુ લાઈટ હાઉસ પાસે સાંજે5 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ વિશે માહિતી આપતા પ્રદર્શનનું અનાવરણ કર્યું હતું. આ પછી કેટલાક કલાકારોએ દેશભક્‍તિના ગીતો ગાઈને મહેલને દેશભક્‍તિનો માહોલ બનાવ્‍યો હતો. આ ક્રમમાં બે મિનિટનું મૌન પાળીને સૌએ ભાગલા સમયે લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સૌએ એકસાથે રાષ્‍ટ્રગીત ગાયું હતું. ત્‍યાર બાદ એક મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, રાજ્‍યના અધિકારીઓ, તમામ સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. આ મૌન રેલી એમ્‍ફીથિયેટરથી કિલ્લાના મુખ્‍ય પ્રવેશદ્વાર સુધી સંપન્ન થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 1947માં વિભાજન દરમિયાન ભારતીયોની વેદનાઓ અને બલિદાનોની યાદ અપાવવા માટે 14મી ઓગસ્‍ટને વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સામાજિક વિભાજન, દુશ્‍મનાવટના ઝેરને દૂર કરવાનો અને એકતા, સામાજિકસમરસતા અને માનવ સશક્‍તિકરણની ભાવનાને વધુ મજબૂત કરવાની જરૂરિયાતની યાદ અપાવવાનો છે.
કાર્યક્રમનું સંચાલન આરોગ્‍ય વિભાગના એકાઉન્‍ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમારે ખુબ જ ઉત્‍કૃષ્‍ટ રીતે કર્યું હતું.

Related posts

વાપી નજીક અંબાચ ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી :રાચ-રચિલું-ઘરસામાન બળીને ખાખ

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

મહારાષ્‍ટ્રના દેવડોગરી ખાતે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીના ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Arduino ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દીવ નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment