Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

સોનવાડા ગામે ઘરમાં આગ લાગતા મચી અફરાતફરી

ઘરની છત સહિત જીવન જરૂરી તમામ ચીજવસ્‍તુઓ બળીને ખાખ થઈ જતા ભર ચોમાસે પરિવાર રોડ પર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડી તાલુકાના સોનવાડા ગામે ભગત ફળીયામાં રહેતા ચંપકભાઈ ભગુભાઈ પટેલ ગત રોજ કંપનીમાં નોકરી પર ગયા હતા અને તેમનો પુત્ર અને પત્‍ની પણ હોસ્‍પિટલમાં ગયા હતા. આ દરમિયાન આશરે સાંજે છ વાગ્‍યે તેમનાં કાચા મકાનમાં કોઈક કારણસર આગ લાગી હતી. આગનો ધુમાડો બાજુમાં રહેતી મહિલાએ જોતાં તેણે ફળિયામાં જાણ કરતા અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોએ દોડી જઈ પાણીનો મારો શરુ કર્યો હતો પરંતુ આગ એટલી હદે વિકરાળ હતી કે ઘરના પલંગ, ખુરશી, ત્રિપાઈ, ટીવી, ગાદલા, અનાજ કઠોળ, અને પશુઓ માટે રાખેલું ઘાસ સહિતનો તમામ જીવનજરૂરી સરસામાન બળીને ખાખ થઈ જવા પામ્‍યો હતો. વધુમાં ઘરની છતના નળિયાં પણ તૂટી પડયા હોય આગને લઈ ચોમાસાની સીઝનમાં પરિવાર રોડ પરઆવી ગયો છે. બનાવની જાણ ગામના સરપંચ સુનિતાબેન ચંદ્રકાંતભાઈ તલાટી માર્ગીબેન અને પારડી જીઈબીના દિપકભાઈ નાયકને થતા તમામ ઘટના સ્‍થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
પરંતુ હાલમાં આ પરિવારની સ્‍થિતિ ખુબજ દયનિય હોય ઘરની સાથે જીવનજરૂરી સરસામાન પણ બળી જતા ખાવાના સાથે રહેવાના પણ ફાંફા પડી જતા કફોડી સ્‍થિતિમાં મુકાયેલા પરિવારે જવાબદાર તંત્ર પાસે મદદની માંગ કરી છે. પરિસ્‍થિતિ સમજી તંત્ર પણ મદદે આવે તે ખૂબ જ જરૂરી બન્‍યું છે.

Related posts

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

Leave a Comment