October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

તંત્રએ રહીશોને મોડી રાતે સેલટર હોમમાં ખસેડયા : સુવિધાના અભાવે લોકો રાતભર અટવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ શહેરની મધ્‍યમાં શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસનો 50 ફૂટ જેટલો સ્‍લેબ રાત્રે 9 વાગ્‍યાના સુમારે અચાનક ધરાશયી થતા રહીશોના માથે આભ તૂટી પડયાનો અહેસાસ થયો હતો. વહીવટી તંત્રએ રહીશોને સેલ્‍ટર હોમમાં ખસેડયા હતા તેમજ દુર્ઘટનામાં ત્રણેકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
વલસાડ શાકભાજી માર્કેટ પાસે 120 આવાસીય મકાનો જર્જરીત થઈ ચૂક્‍યા છે. 40 વર્ષ પહેલાની આ ખખડધજ ઈમારતમાં લોકો જીવના જોખમે રહે છે. પાલિકાની બેદરકારીને લઈ જાહેર સલામતિ માટે આ ઈમારત જોખમી બની હોવા છતાં પાલિકા નજરઅંદાજ કરી રહેલ છે. પરિણામે ક્‍યારેક મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહી. રવિવારે 9 વાગ્‍યાના સુમારે આ આવાસનો આશરે 50 ફૂટનો સ્‍લેબ અચાનક જમીન દોસ્‍ત થતા લોકોમાં નાસભાગ મચીહતી. આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. કોઈ ઘાયલ થયું છે કે કેમ તેની જાણકારીમાં લાગ્‍યા હતા. બીજી તરફ પાલિકાએ રહીશોને નજીકના સેલ્‍ટર હોમમાં ખસેડી દીધા હતા. પરંતુ તેમાં કોઈ સગવડ નહી હોવાથી લોકો રાતભર અટવાતા રહ્યા હતા અને આજે સોમવારે ઈમારતનું ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Related posts

ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્‍સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે

vartmanpravah

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

નવસારીની તાતા ગર્લ્‍સ સ્‍કૂલ ખાતે ચિરાગ ભટ્ટનો મોટીવેશનલ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment