29 સભ્યો ધરાવતી જળ સંસાધન સમિતિ દમણ અને સેલવાસમાં ભૂગર્ભ જળની સ્થિતિથી માંડી જળ શક્તિ અભિયાનની પણ સમીક્ષા કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23: આજે લોકસભાની ડિપાર્ટમેન્ટલી રિલેટેડ સ્ટેન્ડિંગ કમીટિ અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્યોનું દમણમાંઆગમન થયું છે. સંસદીય સમિતિના જૂથમાં 35 જેટલા સભ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે જળ સંસાધન સમિતિના ચેરમેન લોકસભાની પヘમિ ચંપારણ બેઠકના ભાજપના સાંસદ શ્રી સંજય જયસ્વાલ પોતાના વ્યસ્ત કાર્યક્રમના કારણે દમણ અને સેલવાસની મુલાકાતે નહીં આવવાના હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્યું છે. તેમના સ્થાને અધ્યક્ષસ્થાન અમદાવાદ(પૂર્વ)ના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલ સંભાળવાના હોવાનું પણ જાણવા મળે છે.
બે દિવસના રોકાણ દરમિયાન સંસદીય સમિતિના સભ્યો જળ સંસાધન અંતર્ગત પોતાનો અભ્યાસ કરશે અને અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવશે.