Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

છીરી ધોડીયાવાડ ચાલીમાં રહેતા વિક્રમ શશીભુષણ સિંગ અને ઓમપ્રકાશ સિંગની ધરપકડ : ફોન ઉપર 5 કરોડની ખંડણી માંગી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: મુંબઈના અંધેરીમાં કાર્યરત હોટલના લેન્‍ડ લાઈન નંબર ઉપર હોટલમાં પાંચ બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ધમકી આપી પાંચ કરોડની ખંડણી માંગનાર બે આરોપી વાપી છીરીથી ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી.
મુંબઈના અંધેરીમાં આવેલ હોટલ લલીત ના લેન્‍ડ લાઈન નંબર ઉપર અજાણ્‍યો ફોન આવ્‍યો હતો. ફોનમાં હોટલમાં પાંચ બોમ્‍બ મુકીઉડાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેની ગંભીરતાને લઈ હોટલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્‍ટ્ર પોલીસે ચાંપતી હાથ ધરેલ તપાસમાં કેટલાક મોબાઈલ નંબરના લોકેશન વાપીના ટ્રેસ થયા હતા તેથી વલસાડ એસ.પી.નો મહારાષ્‍ટ્ર પોલીસે સંપર્ક કર્યો હતો. એસ.પી. રાજદીપસિંહ ઝાલાએ તપાસ એસ.ઓ.જી.ને સોંપી હતી. એસ.ઓ.જી.એ તપાસનો ધમધમાટ આરંભી ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. ખંડણી અને બોમ્‍બ બ્‍લાસ્‍ટની ધમકી આપનારા વાપી છીરીમાંથી ઝડપાયા હતા. છીરી રાજેશભાઈની ચાલમાં રૂમ નં.3માં રહેતો વિક્રમ શશીભુષણ સિંગ તેમજ ધોડીયાવાડ પ્રવિણભાઈની ચાલમાં રહેતો યેશુકુમાર ઓમપ્રકાશ સિંગની એસ.ઓ.જી.એ ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવા આ પ્‍લાન કર્યો હતો. પોલીસે ધરપકડ કરી બન્ને આરોપીઓને મહારાષ્‍ટ્ર પોલીસના હવાલે કર્યા હતા.

Related posts

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

vartmanpravah

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment