October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

કાર્યક્રમમાં એક્‍સપાયરી ડેટ વાળી 30 મહિના જૂની વાસી પાણીની બોટલો વેપારીઓને અપાતા કચવાટ છવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારીઓ સાથે સંવાદન કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણીલક્ષી યોજાયેલ આ કાર્યક્રમમાં વેપારીઓને પીવા માટે અપાયેલ મિનરલ વોટરની બોટલો 30 મહિના જુની હોવાથી વેપારીઓમાં આક્રોશ સાથે કચવાટ જોવા મળ્‍યો હતો.
ડીસેમ્‍બર 2022માં યોજાનાર ગુજરાતની સામાન્‍ય ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જીતવા માટે શષાો સજાવા શરૂ કરી દીધા છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વધુ આક્રમક બની ઠેર ઠેર મતદારોને રીઝવવાના અઢળક વચનોની બેફામ લ્‍હાણી આરંભી સભાઓનો દોર શરૂ થઈ ચૂક્‍યો છે. તે અંતર્ગત બુધવારે સાંજના વાપી લેઉવા પાટીદાર વાડીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ ગોપાલ ઈટાલીયાએ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. જી.એસ.ટી. સહિત દારૂબંધીના મુદ્દાઓ ચર્ચાયા હતા. ઈટાલીયાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ દ્વારા 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ મેળવે છે. આપની સરકાર બનશે તો ટીપુ દારૂ ન મળે તેવી વ્‍યવસ્‍થા થશે. આમ આદમી પાર્ટી તાકતવર પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. ઈટાલીયાએ વધુમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે, ભાજપસરકાર ડરી રહી છે. વારંવાર મંત્રીઓ બદલી રહી છે. કાર્યક્રમમાં હિમાલયા બેવરીઝની મીનરલ બોટલો વેચાઈ હતી તે 30 મહિના જુની હતી. એક્‍સપાયરી ડેટ વિતી ગયેલી હોવા છતાં ગત વિધાનસભામાં ચૂંટણીમાં કારમી હાર પામેલા ડો.રાજીવ પાંડે દ્વારા મીનરલ બોટલો અપાઈ હતી. વેપારીઓએ એક્‍સપાયરી ડેટ જોતા ગુસ્‍સો જોવા મળ્‍યો. મીનરલ વોટર 30 મહિના જુનુ હતું. એક તબીબ દ્વારા વેપારીઓના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કર્યા હોવાની હકીકતો પ્રકાશમાં આવી હતી.

Related posts

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

Leave a Comment