Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

કાર્યક્રમમાં એક્‍સપાયરી ડેટ વાળી 30 મહિના જૂની વાસી પાણીની બોટલો વેપારીઓને અપાતા કચવાટ છવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારીઓ સાથે સંવાદન કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણીલક્ષી યોજાયેલ આ કાર્યક્રમમાં વેપારીઓને પીવા માટે અપાયેલ મિનરલ વોટરની બોટલો 30 મહિના જુની હોવાથી વેપારીઓમાં આક્રોશ સાથે કચવાટ જોવા મળ્‍યો હતો.
ડીસેમ્‍બર 2022માં યોજાનાર ગુજરાતની સામાન્‍ય ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જીતવા માટે શષાો સજાવા શરૂ કરી દીધા છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વધુ આક્રમક બની ઠેર ઠેર મતદારોને રીઝવવાના અઢળક વચનોની બેફામ લ્‍હાણી આરંભી સભાઓનો દોર શરૂ થઈ ચૂક્‍યો છે. તે અંતર્ગત બુધવારે સાંજના વાપી લેઉવા પાટીદાર વાડીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ ગોપાલ ઈટાલીયાએ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. જી.એસ.ટી. સહિત દારૂબંધીના મુદ્દાઓ ચર્ચાયા હતા. ઈટાલીયાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ દ્વારા 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ મેળવે છે. આપની સરકાર બનશે તો ટીપુ દારૂ ન મળે તેવી વ્‍યવસ્‍થા થશે. આમ આદમી પાર્ટી તાકતવર પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. ઈટાલીયાએ વધુમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે, ભાજપસરકાર ડરી રહી છે. વારંવાર મંત્રીઓ બદલી રહી છે. કાર્યક્રમમાં હિમાલયા બેવરીઝની મીનરલ બોટલો વેચાઈ હતી તે 30 મહિના જુની હતી. એક્‍સપાયરી ડેટ વિતી ગયેલી હોવા છતાં ગત વિધાનસભામાં ચૂંટણીમાં કારમી હાર પામેલા ડો.રાજીવ પાંડે દ્વારા મીનરલ બોટલો અપાઈ હતી. વેપારીઓએ એક્‍સપાયરી ડેટ જોતા ગુસ્‍સો જોવા મળ્‍યો. મીનરલ વોટર 30 મહિના જુનુ હતું. એક તબીબ દ્વારા વેપારીઓના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કર્યા હોવાની હકીકતો પ્રકાશમાં આવી હતી.

Related posts

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

દીવમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કુલ ચાર કેસ સક્રિય

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

Leave a Comment