Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલ દ્વારા અંગ દાતા પરિવારના સભ્‍યોનું સન્‍માન કર્યું હતું. હરિયા એલજી રોટરી હોસ્‍પિટલના કેમ્‍પસ ખાતે અંગ દાતાઓના ખરેખર પ્રેરણાદાયી પરિવારના સભ્‍યોનું સન્‍માન કરવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ભારત અને રાજ્‍ય અંગ અને ટીશ્‍યુ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ઓર્ગેનાઈઝેશન, ગુજરાત સરકાર હરિયા એલજી રોટરી હોસ્‍પિટલને નેશનલ ઓર્ગન એન્‍ડ ટીશ્‍યુ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ઓર્ગેનાઈઝેશન, સરકાર દ્વારા માન્‍ય વલસાડ જિલ્લા (દક્ષિણ ગુજરાત)માં ઓર્ગન રીટ્રીવલ સેન્‍ટર તરીકે ઓળખવામાં આવે છે.
અંગદાન એ અમૂલ્‍ય ભેટોમાંની એક છે જેને વ્‍યક્‍તિ આપવાનું વિચારી શકે છે. ‘‘એક અંગ આઠ લોકોને બચાવી શકે છે. અંગ દાન એ દરેક વ્‍યક્‍તિ માટે મૃત્‍યુ પછી પણ જીવવાનીઅદ્ભુત તક છે. છેલ્લા એક વર્ષથી હોસ્‍પિટલમાં કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ વિભાગ કાર્યરત છે.
ચીફ ફિઝિશિયલ અને મેડિકલ ડિરેક્‍ટર ડો.એસ.એસ. સિંહએ જણાવ્‍યું (‘‘સ્‍વ.શ્રી રમેશભાઈ મીઠુભાઈ મીતિયા, સ્‍વ.શ્રી મુરલી નાયર, સ્‍વ.શ્રી યશ ઝવેરીલાલ વર્મા, અને સ્‍વ.શ્રી મહેન્‍દ્રસિંહ છાબરા) કે જેઓએ અંગોનું દાન આપ્‍યું છે એવા પરિવારના સભ્‍યોની લાગણી અવર્ણનીય છે. આવા નિરાશાના સમયમાં અંગ દાન કરવાનો અને બીજાના કલ્‍યાણ માટે વિચારવું એ પ્રશંસનીય નિર્ણય છે. હોસ્‍પિટલમાં ઓપીડીમાં દરરોજ કિડની ફેલ્‍યરના બે નવા કેસો આવે છે. વલસાડ જિલ્લામાં આશરે 500 દર્દીઓનું ડાયાલિસિસ કરાવી રહ્યા છે, અને આ તમામ દર્દીઓને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટની જરૂર છે. આ પ્રસંગે કેટલાક પેશન્‍ટસ (શ્રીમતી હીના એસ શાહ, ડો.ડી.બી. પટેલ, શ્રી વિનીશ મારુ અને શ્રી રૂચિર ત્રિવેદી). અંગ પ્રાપ્તિકર્તાઓએ પણ તેમના અનુભવ જણાવ્‍યા હતા.
આરટીએન રોટરી ક્‍લબ ઓફ વાપીના પ્રમુખ શ્રી હેમાંગ નાયકે જણાવ્‍યું હતું કે, ‘‘આવા ઉમદા અને જીવન બચાવ કાર્યનો ભાગ બનવું એ સન્‍માનની વાત છે.
આ પ્રસંગે હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓ, વાપીના રોટરીયન ડોક્‍ટરો અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં તિથલ ખાતે ડાયાબીટીસ મુક્‍ત ગુજરાત યોગ શિબિરનો પ્રારંભ થયો

vartmanpravah

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ હાઈવેના બ્રિજ પર ટ્રકના કેબિનમાં લાગીઆગ

vartmanpravah

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

કપરાડા વિસ્‍તારના લોકોને ગેરમાર્ગે દોરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા બોગસ હોવાનો ખુલાસો થયો

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

Leave a Comment