July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.26: રૂમલા-મોગરાવાડી જેવા વિસ્‍તારમાં કાંકરિયા ખાડીના પુરથી કેળના પાકને મોટાપાયે નુકશાન થયું હતું. જેમાં વળતર પણ ન મળતા અને હાલે કેળાના ભાવ પણ નીચે જતા ખેડૂતોની આર્થિક સ્‍થિતિ ડામડોળ થવા પામી છે.
ચીખલી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ગત તા.14-જુલાઈના રોજ તાલુકામાંથી પસાર થતી કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓ અને સ્‍થાનિક ખાડીઓ ગાંડીતુર બનવા સાથે ઘોડાપુર આવતા તાલુકામાં આંબા કલમ, કેળ, શાકભાજી, સુરણ, કંદ સહિતના પાકોને મોટાપાયે નુકશાન થયું હતું. તાલુકાના રુમલા મોગરાવાડી સહિતના વિસ્‍તારમાં ખેડૂતો મોટાપાયે કેળની ખેતી કરતા આવ્‍યા છે ત્‍યારે 14 જુલાઈના રોજ આ વિસ્‍તારમાંથી પસાર થતી કાંકરિયા ખાડીમાં પણ પૂર આવતા કેળના પાકને ભારે નુકસાન થયું હતું. આ સમયે કેળનો પાક લહેરાઈ રહ્યો હતો. ખેડૂતો ઉતારવાની તૈયારીમાં હતા અને ભાવ પણ સારાહતા તે સમયે જ પૂર આવતા ખેડૂતોનો મોંમાં આવેલ કોડિયો છીનવાઈ જાય તેવી સ્‍થિતિ સર્જાઈ હતી.
પૂર બાદ ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોનથી પણ સર્વે કરાયું હતું. પરંતુ આજ દિન સુધી ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવાઈ નથી વધુમાં હાલે કેળાના ભાવ પણ નીચે ઉતરી જતા ખેડૂતોને આર્થિક બોજ વેઠવાના દિવસો આવ્‍યા છે. ત્‍યારે સરકાર દ્વારા ઝડપથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રૂમલાના ખેડૂત નરેશભાઈ પટેલના જણાવ્‍યાનુસાર કાંકરીયા ખાડીમાં આવેલ પૂરમાં અમારો કેળનો પાક જમીન દોષ તથા મોટું નુકસાન થયું હતું. જેમાં સર્વે પણ ખેતીવાડી વિભાગ દ્વારા કરાયું હતું. પરંતુ આજ દિન સુધી સહાય ચૂકવાઈ નથી.
ખેતીવાડી અધિકારી નિલેશભાઈના જણાવ્‍યાનુસાર ચીખલી તાલુકામાં પૂરમાં ખેતી વાકોને થયેલ નુકસાન અંગેનું સર્વે કરી જરૂરી અહેવાલ ઉપલી કચેરીએ મોકલવામાં આવેલ છે. પરંતુ હજુ ઉપલી કચેરીએથી સહાય અંગે કોઈ માહિતી આવેલ નથી.

Related posts

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

vartmanpravah

વાપી જીઆઈડીસી પોસ્‍ટ ઓફીસ રોડ ઉપર ડ્રેનેજનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાતા વાહન ચાલકો-રાહદારીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment