Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.26: રૂમલા-મોગરાવાડી જેવા વિસ્‍તારમાં કાંકરિયા ખાડીના પુરથી કેળના પાકને મોટાપાયે નુકશાન થયું હતું. જેમાં વળતર પણ ન મળતા અને હાલે કેળાના ભાવ પણ નીચે જતા ખેડૂતોની આર્થિક સ્‍થિતિ ડામડોળ થવા પામી છે.
ચીખલી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ગત તા.14-જુલાઈના રોજ તાલુકામાંથી પસાર થતી કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓ અને સ્‍થાનિક ખાડીઓ ગાંડીતુર બનવા સાથે ઘોડાપુર આવતા તાલુકામાં આંબા કલમ, કેળ, શાકભાજી, સુરણ, કંદ સહિતના પાકોને મોટાપાયે નુકશાન થયું હતું. તાલુકાના રુમલા મોગરાવાડી સહિતના વિસ્‍તારમાં ખેડૂતો મોટાપાયે કેળની ખેતી કરતા આવ્‍યા છે ત્‍યારે 14 જુલાઈના રોજ આ વિસ્‍તારમાંથી પસાર થતી કાંકરિયા ખાડીમાં પણ પૂર આવતા કેળના પાકને ભારે નુકસાન થયું હતું. આ સમયે કેળનો પાક લહેરાઈ રહ્યો હતો. ખેડૂતો ઉતારવાની તૈયારીમાં હતા અને ભાવ પણ સારાહતા તે સમયે જ પૂર આવતા ખેડૂતોનો મોંમાં આવેલ કોડિયો છીનવાઈ જાય તેવી સ્‍થિતિ સર્જાઈ હતી.
પૂર બાદ ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોનથી પણ સર્વે કરાયું હતું. પરંતુ આજ દિન સુધી ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવાઈ નથી વધુમાં હાલે કેળાના ભાવ પણ નીચે ઉતરી જતા ખેડૂતોને આર્થિક બોજ વેઠવાના દિવસો આવ્‍યા છે. ત્‍યારે સરકાર દ્વારા ઝડપથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રૂમલાના ખેડૂત નરેશભાઈ પટેલના જણાવ્‍યાનુસાર કાંકરીયા ખાડીમાં આવેલ પૂરમાં અમારો કેળનો પાક જમીન દોષ તથા મોટું નુકસાન થયું હતું. જેમાં સર્વે પણ ખેતીવાડી વિભાગ દ્વારા કરાયું હતું. પરંતુ આજ દિન સુધી સહાય ચૂકવાઈ નથી.
ખેતીવાડી અધિકારી નિલેશભાઈના જણાવ્‍યાનુસાર ચીખલી તાલુકામાં પૂરમાં ખેતી વાકોને થયેલ નુકસાન અંગેનું સર્વે કરી જરૂરી અહેવાલ ઉપલી કચેરીએ મોકલવામાં આવેલ છે. પરંતુ હજુ ઉપલી કચેરીએથી સહાય અંગે કોઈ માહિતી આવેલ નથી.

Related posts

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

રુમ ઝુમ રથડો આવ્‍યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા

vartmanpravah

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ગ્રીન ઈન્‍ડિયા”ની પહેલઃ દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ ઔદ્યોગિક નગરી વાપી ઈ-વાહનોના મેન્‍યુફ્રેક્‍ચરનું હબ બન્‍યું

vartmanpravah

Leave a Comment