April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

આજે અમને જણાવતા આનંદ થાય છે કે ગીર આદર્શ આજીવિકા યોજના જેવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ દ્વારા સેંકડો આદિવાસી ભાઈ-બહેનોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જેનું પાલન ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. દૂધનું ઉત્‍પાદન કરીને સારા ભાવ મેળવી રહ્યા છે, એટલું જ નહીં, આજે ખેડૂતો પરંપરાગત ખેતી, મશરૂમની ખેતી, બ્રાઉન રાઇસની ખેતી, બાગાયત, ફળો અને શાકભાજીનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન કરીને બજારમાં પહોંચે છે, આ ઉપરાંત તેઓ ટ્રાઈફેડના માધ્‍યમથી જંગલ ઉત્‍પાદનનું વેચાણ કરીને નફો પણ મેળવી રહ્યા છે. આજે વહીવટી કક્ષાએ આદિવાસી ભાઈ-બહેનોને વિવિધક્ષેત્રોની તાલીમ આપી સ્‍વરોજગારી તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ સ્‍વાવલંબી બનીને સામાજિક અને આર્થિક રીતે સશક્‍ત બનીને સન્‍માનજનક જીવન જીવી શકે.
અત્‍યાર સુધીમાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી ભાઈ-બહેનોને આશરે રૂા. 28 કરોડની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી છે અને રૂા. 4 કરોડ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ ખર્ચવામાં આવ્‍યા છે, જેમાં અથલ ખાતે સ્‍થાપિત દૂધ બોટલિંગ પ્‍લાન્‍ટ અને દૂધના પાઉચ ભરવાનું મશીન તથા ગાયના છાણમાંથી ખાતર બનાવવાની મશીન, છાણના પાવડરમાંથી ધૂપબત્તી-અગરબત્તીઓ, દીવા, સાબુ વગેરે ઉત્‍પાદનોને બનાવવા માટે સ્‍વ સહાયતા જૂથને તાલીમ આપવામાં આવી છે અને આ માટે નરોલીમાં મશીનરી ઉભી કરવામાં આવી છે.
કરચોંડમાં વન પેદાશોના વર્ગીકરણ, પેકેજિંગ અને બ્રાન્‍ડિંગ માટે આધુનિક મશીનરી સ્‍થાપિત કરવામાં આવી છે, જે કૌંચા વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર તરીકે ઓળખાય છે, આ કેન્‍દ્રની સ્‍થાપનાથી 300 આદિવાસી મહિલાઓને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળ્‍યો છે. પશુઓને લીલો ચારો ઉપલબ્‍ધ કરાવવા માટે પશુપાલકોને જુવાર, બાજરી, મકાઈ અને બરસીમના લગભગ 2 મેટ્રીક ટન બિયારણનું વિતરણ કરવામાં આવ્‍યું છે, ઉપરાંત ઘાસચારાની કાપણી માટે 50 ચારા કટિંગ મશીનો આપવામાંઆવ્‍યા છે.
આજે દાદરા અને નગર હવેલીમાં ગીર ગાયનું દૂધ, ઘી, બ્રાઉન રાઈસ, ઓયસ્‍ટર ફ્રેશ મશરૂમ, ડ્રાઈડ મશરૂમ અને મશરૂમ પાઉડર સિલ્‍વાનના બ્રાન્‍ડ નામ હેઠળ ઉત્‍પાદિત ખાદ્ય ચીજવસ્‍તુઓ બજારમાં ગ્રાહકોને વ્‍યાજબી ભાવે ઉપલબ્‍ધ છે.
આમ, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ આદિવાસી ભાઈબહેનોના કલ્‍યાણ માટે સતત પ્રયત્‍નશીલ છે.

Related posts

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

vartmanpravah

વાપીમાં ૧૮૦-પારડી વિધાનસભા ક્ષેત્ર ભાજપનું દિવાળી સ્નેહમિલન યોજાયું: જિલ્લાભરના કાર્યકરો ઉમટી પડયા

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment