April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

આજે અમને જણાવતા આનંદ થાય છે કે ગીર આદર્શ આજીવિકા યોજના જેવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ દ્વારા સેંકડો આદિવાસી ભાઈ-બહેનોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જેનું પાલન ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. દૂધનું ઉત્‍પાદન કરીને સારા ભાવ મેળવી રહ્યા છે, એટલું જ નહીં, આજે ખેડૂતો પરંપરાગત ખેતી, મશરૂમની ખેતી, બ્રાઉન રાઇસની ખેતી, બાગાયત, ફળો અને શાકભાજીનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન કરીને બજારમાં પહોંચે છે, આ ઉપરાંત તેઓ ટ્રાઈફેડના માધ્‍યમથી જંગલ ઉત્‍પાદનનું વેચાણ કરીને નફો પણ મેળવી રહ્યા છે. આજે વહીવટી કક્ષાએ આદિવાસી ભાઈ-બહેનોને વિવિધક્ષેત્રોની તાલીમ આપી સ્‍વરોજગારી તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ સ્‍વાવલંબી બનીને સામાજિક અને આર્થિક રીતે સશક્‍ત બનીને સન્‍માનજનક જીવન જીવી શકે.
અત્‍યાર સુધીમાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી ભાઈ-બહેનોને આશરે રૂા. 28 કરોડની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી છે અને રૂા. 4 કરોડ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ ખર્ચવામાં આવ્‍યા છે, જેમાં અથલ ખાતે સ્‍થાપિત દૂધ બોટલિંગ પ્‍લાન્‍ટ અને દૂધના પાઉચ ભરવાનું મશીન તથા ગાયના છાણમાંથી ખાતર બનાવવાની મશીન, છાણના પાવડરમાંથી ધૂપબત્તી-અગરબત્તીઓ, દીવા, સાબુ વગેરે ઉત્‍પાદનોને બનાવવા માટે સ્‍વ સહાયતા જૂથને તાલીમ આપવામાં આવી છે અને આ માટે નરોલીમાં મશીનરી ઉભી કરવામાં આવી છે.
કરચોંડમાં વન પેદાશોના વર્ગીકરણ, પેકેજિંગ અને બ્રાન્‍ડિંગ માટે આધુનિક મશીનરી સ્‍થાપિત કરવામાં આવી છે, જે કૌંચા વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર તરીકે ઓળખાય છે, આ કેન્‍દ્રની સ્‍થાપનાથી 300 આદિવાસી મહિલાઓને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળ્‍યો છે. પશુઓને લીલો ચારો ઉપલબ્‍ધ કરાવવા માટે પશુપાલકોને જુવાર, બાજરી, મકાઈ અને બરસીમના લગભગ 2 મેટ્રીક ટન બિયારણનું વિતરણ કરવામાં આવ્‍યું છે, ઉપરાંત ઘાસચારાની કાપણી માટે 50 ચારા કટિંગ મશીનો આપવામાંઆવ્‍યા છે.
આજે દાદરા અને નગર હવેલીમાં ગીર ગાયનું દૂધ, ઘી, બ્રાઉન રાઈસ, ઓયસ્‍ટર ફ્રેશ મશરૂમ, ડ્રાઈડ મશરૂમ અને મશરૂમ પાઉડર સિલ્‍વાનના બ્રાન્‍ડ નામ હેઠળ ઉત્‍પાદિત ખાદ્ય ચીજવસ્‍તુઓ બજારમાં ગ્રાહકોને વ્‍યાજબી ભાવે ઉપલબ્‍ધ છે.
આમ, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ આદિવાસી ભાઈબહેનોના કલ્‍યાણ માટે સતત પ્રયત્‍નશીલ છે.

Related posts

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની મહિલા કંડક્‍ટર આત્‍મહત્‍યા કેસમાં દિકરીના ન્‍યાય માટે પિતાએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં અધિકારી નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાથથી તેમજ માથેથી મેલું ઉપાડવાનું કામ કરતા સફાઈ કામદારોનો સર્વે

vartmanpravah

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

Leave a Comment