Vartman Pravah
Other

વણાકબારા ખારવા સમાજના મહામંત્રી, ખજાનચીનું અકસ્‍માતમાં મોત, થતાં દીવ જિલ્લામાં શોકનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવના વણાકબારાના ભરતભાઈ હરજી ડાલકીનું ગુજરાતના નાળીયા માંડવીમાં અકસ્‍માત સર્જાતા મોત નિપજ્‍યું હતું, ભરતભાઈ ઉના ખાતે બોટના સામાનની ખરીદી માટે ગયા હતા, જ્‍યાંથી પરત ફરતા નાળીયા માંડવી પહેલા જશરાજ ટાઉનશિપ નજીક ભરતભાઈ હરજી ડાલકી ઉંમર. 49 પોતાનુ બાઈક નં ડીડી 02, એફ, 5123 પર જતા હતા અને અચાનક રસ્‍તા માં ભેંસ સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને તેમને 108 ની મદદથી ઉના હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્‍યું હતું, ભરતભાઈ વણાકબારા ખારવા સમાજના મહામંત્રી ખજાનચી હતા, તેમના મોતથી દીવ જિલ્લામાં તથા વણાકબારા ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્‍યુ હતું.

Related posts

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસમાં કેટલીક ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાંથી સામાનની ખરીદીના દુકાનમાલિકોને ચેક આપીકરાયેલી છેતરપિંડી

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમ દ્વારા એક સપ્તાહમાં રૂા.2.18 લાખની રોકડ અને રૂા.39,420નો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

Leave a Comment