October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં 300 વર્ષ પુરાણું પીપલના ઝાડ ઉપર સૌ ધાર્મિક ભક્‍તોએ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા જલ અર્પણ કરવામાં આવ્‍યું. મંદિર સંચાલકરોહિત આચાર્ય પ્રભુ દ્વારા કુવાનું પાણી ગંગાજલ યુક્‍તની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી. આજરોજ શ્રાવણ માસના અંતિમ અમાસના દિવસે પીપલના ઝાડ ઉપર પિતૃદેવને તૃપ્ત કરવા માટે ત્રણ કળશ પાણી ચઢાવવામાં આવે છે અને પીપલની પાસે પિતૃદેવનો અખંડ દીવો પણ મૂકવામાં આવે છે જેથી પિતૃઓની તૃપ્તિ થાય છે અને પિતૃદેવોના આશીર્વાદ વંશજો પર રહે છે. સાંજે મંદિરમાં દીપમાળાના દર્શન તથા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું તેમાં આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે હર હર મહાદેવના નાદ થી મંદિર ગુંજતું કરવામાં આવ્‍યું હતું. આજરોજ મંદિરમાં બહુ સંખ્‍યામાં ભક્‍તોએ દર્શનનો તર્પણનો લાભ લીધો હતો.

Related posts

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Arduino ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

vartmanpravah

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

પારડીના કોટલાવમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકીઃ સોનાના ઘરેણાં તથા રોકડ મળી રૂ.૧,૫૦,૦૦૦ની કરેલી ચોરી

vartmanpravah

Leave a Comment