July 25, 2026
Vartman Pravah
Other

વણાકબારા ખારવા સમાજના મહામંત્રી, ખજાનચીનું અકસ્‍માતમાં મોત, થતાં દીવ જિલ્લામાં શોકનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવના વણાકબારાના ભરતભાઈ હરજી ડાલકીનું ગુજરાતના નાળીયા માંડવીમાં અકસ્‍માત સર્જાતા મોત નિપજ્‍યું હતું, ભરતભાઈ ઉના ખાતે બોટના સામાનની ખરીદી માટે ગયા હતા, જ્‍યાંથી પરત ફરતા નાળીયા માંડવી પહેલા જશરાજ ટાઉનશિપ નજીક ભરતભાઈ હરજી ડાલકી ઉંમર. 49 પોતાનુ બાઈક નં ડીડી 02, એફ, 5123 પર જતા હતા અને અચાનક રસ્‍તા માં ભેંસ સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને તેમને 108 ની મદદથી ઉના હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્‍યું હતું, ભરતભાઈ વણાકબારા ખારવા સમાજના મહામંત્રી ખજાનચી હતા, તેમના મોતથી દીવ જિલ્લામાં તથા વણાકબારા ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્‍યુ હતું.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે દમણ શહેરમાં યોજેલી તિરંગા યાત્રા

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશપ્રશાસનનું કડક વલણઃ દલવાડા ગૌશાળામાં પશુઓના કમોતના સંદર્ભમાં બે સામે ફરિયાદ

vartmanpravah

Leave a Comment