(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવના વણાકબારાના ભરતભાઈ હરજી ડાલકીનું ગુજરાતના નાળીયા માંડવીમાં અકસ્માત સર્જાતા મોત નિપજ્યું હતું, ભરતભાઈ ઉના ખાતે બોટના સામાનની ખરીદી માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતા નાળીયા માંડવી પહેલા જશરાજ ટાઉનશિપ નજીક ભરતભાઈ હરજી ડાલકી ઉંમર. 49 પોતાનુ બાઈક નં ડીડી 02, એફ, 5123 પર જતા હતા અને અચાનક રસ્તા માં ભેંસ સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને તેમને 108 ની મદદથી ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું, ભરતભાઈ વણાકબારા ખારવા સમાજના મહામંત્રી ખજાનચી હતા, તેમના મોતથી દીવ જિલ્લામાં તથા વણાકબારા ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.