April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી ઇન્‍ડિયન રેડક્રોસ સંચાલિત દિવ્‍યાંગ બાળકો માટેની સ્‍પેશિયલ શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના સુંદર લેમ્‍પ, વુલનડોલ, કીચેઇન, બ્રેસલેટ સહિત રંગબેરંગી દીવડાઓ તૈયાર કરવામાં આવ્‍યા છે. જેનો સ્‍ટોલ 06 નવેમ્‍બરથી 09નવેમ્‍બર, 20213 સુધી સેલવાસ કલેક્‍ટર કચેરી પરિસર ખાતે શરૂ કરવામાં આવ્‍યો છે.
સેલવાસની રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોને અભ્‍યાસની સાથે અન્‍ય વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આ દિવ્‍યાંગ બાળકોમાં પ્રતિભાની કોઈ જ કમી નથી, તેઓનેજાગૃત કરવાની જરૂર છે. જેનો ઉદ્દેશ્‍ય દિવ્‍યાંગોને મુખ્‍ય પ્રવાહ સાથે જોડવાનો છે.
આ શાળાના દિવ્‍યાંગ બાળકોએ આગામી દિવાળીના તહેવાર માટે શાળાના આચાર્ય શ્રી જ્‍યોતિર્મય સુરે અને શિક્ષકોના માર્ગદર્શન દ્વારા વિવિધ પ્રકારના રંગબેરંગી દીવા અને ઘરમાં સજાવટ અને સુશોભનની વસ્‍તુઓ બનાવી છે. જેના માટે બાળકોમાં પણ અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. સ્‍ટોલ ઉપર દિવા અને સજાવટના સામાનનું વેચાણ થશે એ રાશીનો ઉપયોગ શાળાના બાળકોના કરવામાં આવશે. કલેક્‍ટર કચેરીના પ્રાંગણમાં શરૂ કરાયેલા સ્‍ટોલ ઉપરથી શહેર તથા પ્રદેશના નાગરિકો વિકલાંગ બાળકોએ તેમના હસ્‍તે બનાવેલ દિવા અને વિવિધ સુશોભનની વસ્‍તુઓ ખરીદે એવો આગ્રહ રાખવામાં આવે છે.

Related posts

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

વલસાડની હોસ્‍પિટલ ઝેનિથ ડોક્‍ટર હાઉસે ખરા અર્થમાં ડોક્‍ટર્સ ડે ની ઉજવણી કરી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment