Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશમાં કેવડા ત્રીજ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા-અર્ચના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેવડાત્રીજ વ્રત નિમિતે મહાદેવના મંદિરમાં જઈ મહિલાઓ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનું વ્રત મુખ્‍ય છે. આ વ્રત ભાદરવા માસના શુકલ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્‍તિ નક્ષત્ર યુક્‍ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રતસ્ત્રીઓને સૌભાગ્‍ય આપવા અને તેમના સૌભાગ્‍યની રક્ષા કરનારું છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાષામાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે.સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે. તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને. મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્‍નાન-પૂજા કરી સૂર્યોદય પછી તે પારણાં કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે, તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્‍ય હોય.

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રિ-મોન્‍સુન બેઠક મળી, તમામ વિભાગના અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરાઈ

vartmanpravah

દમણજિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્‍યા કેસના આરોપી કૃષ્‍ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ

vartmanpravah

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

Leave a Comment