Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.02: દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્‍થિત સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપના કરવામાં આવેલ વિઘ્નહર્તા શ્રીજીની મૂર્તિનું અઢી દિવસની પૂજા-અર્ચના બાદ ધામધૂમથી વાજતે-ગાજતે નાચગાન સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સાંઈરામ સેવા સમિતિ દ્વારા ઝરીપાડા સ્‍થિત ખાડીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અહીં વિસર્જન બાદ ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિસર્જન યાત્રામા સાંઈરામ સેવા સમિતિના પ્રમુખ શ્રી માધુભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ સહિતઅગ્રણીઓએ ખુબ જ ભક્‍તિભાવ પૂર્વક સેવા બજાવી હતી.

Related posts

સેલવાસ ન.પા.માં સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્‌ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દમણના પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્‍ટેટ બેડમિન્‍ટન રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં ડબલ્‍સમાં જીતેલો સિલ્‍વર મેડલ

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

vartmanpravah

વાપીની એલ. જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલ આંતર શાળા વિજ્ઞાન-ટેકનોલોજી પ્રદર્શનમાં ઝળકી

vartmanpravah

Leave a Comment