August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીમાં ગણેશોત્‍સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે ત્‍યારે વિસર્જનના પાંચમાં દિવસે આ ઉત્‍સવ ખુશીના માહોલમાંથી ગમમા ફેરવાઈ ગયો હતો. સેલવાસ દમણગંગા રિવર ફ્રન્‍ટ પર દરેક મંડળો દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યુ છે, ત્‍યારબાદ સાંઈધામ સોસાયટીમાં રહેતા ત્રણ ભાઈઓ દમણગંગા સર્કિટ હાઉસ પાસે નદીમાં ન્‍હાવાઉતર્યા હતા તે સમયે સમાધાન પાટીલ (ઉ.વ. 27) રહેવાસી સાંઈધામ સોસાયટી, આમલી જે કોઈક કારણસર નદીમાં ડૂબી ગયો હતો. જે ના મળતા તેના ભાઈઓએ બૂમાબૂમ કરવા લાગ્‍યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પહોંચી હતી અને યુવાનને નદીમાંથી શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને પાંચ મહિના બાદ રખોલી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા માટે આપેલી મંજૂરી : 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું

vartmanpravah

ગુજરાતમાં સૌ પ્રથમ પારડીના ઉમરસાડીમાં બની રહેલી ફલોટીંગ જેટીનું મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે કરેલું નિરીક્ષણ

vartmanpravah

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment