(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીમાં ગણેશોત્સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વિસર્જનના પાંચમાં દિવસે આ ઉત્સવ ખુશીના માહોલમાંથી ગમમા ફેરવાઈ ગયો હતો. સેલવાસ દમણગંગા રિવર ફ્રન્ટ પર દરેક મંડળો દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યુ છે, ત્યારબાદ સાંઈધામ સોસાયટીમાં રહેતા ત્રણ ભાઈઓ દમણગંગા સર્કિટ હાઉસ પાસે નદીમાં ન્હાવાઉતર્યા હતા તે સમયે સમાધાન પાટીલ (ઉ.વ. 27) રહેવાસી સાંઈધામ સોસાયટી, આમલી જે કોઈક કારણસર નદીમાં ડૂબી ગયો હતો. જે ના મળતા તેના ભાઈઓએ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પહોંચી હતી અને યુવાનને નદીમાંથી શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.