April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા નૂતન નગરમાં બનાવેલ ગાર્ડનનું નામકરણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવા બાબતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.0પ: વાપી નૂતન નગરમાં આવેલ કોમન પ્‍લોટમાં ગત તા.12-02-2022ના રોજ નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ ગાર્ડનનું નામ ‘‘સરદાર પટેલ ઉદ્યાન” રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી અને સાથે ગાર્ડનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી આ કામો નહીં થતાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગણેશ મહોત્‍સવ દરમિયાન બાપાના દર્શને આવતા શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા તેઓને રજૂઆત કરવામાં આવી હતી.
શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે ઉદ્યાનનું નિરીક્ષણ કરતા અધિકારીઓને આપવામાં આવેલ માર્ગદર્શન પૈકી ઉદ્યાનની અંદર જે ઝાડ છે તેની ફરતે દિવાલ બનાવવી, ઉદ્યાનની અંદર બોરીંગો છે તેની ચેમ્‍બરો વોકિંગ માટે આવનારને અડચણરૂપ થતી હોવાથી ચેમ્‍બરોને બનાવેલ પથના લેવલની બનાવવી, ઉદ્યાનની બહાર જે બોરીંગો છે તેની ફરતે ચેમ્‍બરો બનાવવી, ઉદ્યાન માટે જે બોરીંગ બનાવેલ છે તે ફરતે પણ ચેમ્‍બર બનાવવી વગેરે બાબતે મંત્રીશ્રીનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું.
શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપીના વોર્ડ નં.3ના શ્રીનિરંજન પટેલ, શ્રી સોનુ સિંગ, શ્રી નિલેશભાઈ, શ્રી વ્રજ એન. પટેલ, શ્રી અજય ઓડેદરા, શ્રી વિવેક પટેલ, શ્રી અંકિત રાવલ, શ્રી દિપ પટેલ, શ્રી કિશોર ભાનુશાલી, શ્રી મહેશ ભાનુશાલી, શ્રી સુમીત પટેલ, શ્રી યશ ગામીત વગેરે ઉપસ્‍થિત રહી મંત્રીશ્રીને અપીલ કરી છે કે આ બધા કામો નગર પાલિકાને માહિતગાર કરી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી છે.

Related posts

ઝેનીથ ડોક્‍ટર હાઉસના ઓર્થોપેડિક સર્જન ડૉ.પાર્થ પંચાલનું નાઈજેરિયામાં આંતરરાષ્‍ટ્રીય સન્‍માન

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

બીપીઆર એન્‍ડ ડી નવી દીલ્‍હીના સહયોગથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ માટે ઈન્‍વેસ્‍ટીગેશન ટ્રેનિંગનો પ્રારંભ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

vartmanpravah

Leave a Comment