July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના મલીયાધરા ગામે યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત રક્‍તદાન કેમ્‍પનું ઉદ્‌ઘાટન જિલ્લા ડિવાયએસપી એસ.કે.રાય, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવ બારોટ, મહામંત્રી સમીરભાઈ, પીઆઈ કે.જે.ચૌધરી, જિલ્લા સભ્‍ય સેજલબેન, તાલુકા સભ્‍ય દક્ષાબેન સહિતનાની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્‍યું હતું. મહાનુભવો દ્વારા યુનિટી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિનેબિરદાવવામાં આવી હતી અને સતત ચાર વર્ષથી રક્‍તદાન કેમ્‍પ યોજવા માટે અભિનંદન પાઠવ્‍યા હતા. યુનિટી ગ્રુપ દ્વારા રક્‍તદાતાઓની સુરક્ષા માટે દરેક રક્‍તદાતાને હેલ્‍મેટની ભેટ આપવામાં આવી હતી. કેમ્‍પમાં યુનિટી ગ્રુપના યુવાનો દ્વારા ભારે ઉત્‍સાહ દાખવવામાં આવતા 82- યુનિટ જેટલું રક્‍તએકત્ર થયું હતું. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ માલિયાધરામાં યુનિટી ગ્રુપ આયોજિત ગણેશ મહોત્‍સવની મુલાકાત લઈ ધાર્મિક ઉત્‍સવ સાથે રક્‍તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ માટે યુવાનોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

વલસાડ જિલ્લો બન્‍યો યોગમયઃ તિથલ સ્‍વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

vartmanpravah

ઓનલાઈન સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરતી દાનહ ક્રાઈમ બ્રાન્‍ચ

vartmanpravah

Leave a Comment