September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના મલીયાધરા ગામે યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત રક્‍તદાન કેમ્‍પનું ઉદ્‌ઘાટન જિલ્લા ડિવાયએસપી એસ.કે.રાય, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવ બારોટ, મહામંત્રી સમીરભાઈ, પીઆઈ કે.જે.ચૌધરી, જિલ્લા સભ્‍ય સેજલબેન, તાલુકા સભ્‍ય દક્ષાબેન સહિતનાની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્‍યું હતું. મહાનુભવો દ્વારા યુનિટી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિનેબિરદાવવામાં આવી હતી અને સતત ચાર વર્ષથી રક્‍તદાન કેમ્‍પ યોજવા માટે અભિનંદન પાઠવ્‍યા હતા. યુનિટી ગ્રુપ દ્વારા રક્‍તદાતાઓની સુરક્ષા માટે દરેક રક્‍તદાતાને હેલ્‍મેટની ભેટ આપવામાં આવી હતી. કેમ્‍પમાં યુનિટી ગ્રુપના યુવાનો દ્વારા ભારે ઉત્‍સાહ દાખવવામાં આવતા 82- યુનિટ જેટલું રક્‍તએકત્ર થયું હતું. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ માલિયાધરામાં યુનિટી ગ્રુપ આયોજિત ગણેશ મહોત્‍સવની મુલાકાત લઈ ધાર્મિક ઉત્‍સવ સાથે રક્‍તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ માટે યુવાનોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

દાનહઃ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમા વિદ્યાર્થીઓનું કરાયું સન્‍માન

vartmanpravah

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment