March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

અમદાવાદ-ગાંધીનગર જવા આવવાનો વધુ ધસારો હોવાથી ટ્રેનના સ્‍ટોપેજની માંગ ઉઠી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: તાજેતરમાં રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્‍ચે નવિન વંદે ભારત નામની વધુ એક ટ્રેન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનનું સ્‍ટોપેજ વાપીમાં નહી હોવાથી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી. દ્વારા વંદે ભારતનું સ્‍ટોપેજ વાપીને મળવું જોઈએ તેવી વેસ્‍ટર્ન રેલવેને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વાપી અતિ વિકસિત ઔદ્યોગિક નગર છે. નિયમિત 2 લાખ ઉપરાંત લોકો વાપી સ્‍ટેશનથી મુંબઈ-અમદાવાદ તરફ મુસાફરી કરે છે. વાપીના ઉદ્યોગપતિઓ અને મુસાફરોને અમદાવાદ-ગાંધીનગર જવા આવવાનું નિયમિત રહે છે. તદ્દઉપરાંત દમણ-સેલવાસના મુસાફરો માટે વાપી સ્‍ટેશન એકમાત્ર છે. તેથી મુંબઈ-અમદાવાદ વચ્‍ચે નવી શરૂ થનાર વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેન શરૂ થાય તેપહેલાં તેના સ્‍ટોપેજની માંગણી શરૂ થઈ ચૂકી છે. વી.આઈ.એ. ચેરમેન કમલેશ પટેલ, સેક્રેટરી સતિષ પટેલ અને ઝેડ.આર.યુ.સી.સી.ના મેમ્‍બર લલીત કોઠારીએ વેસ્‍ટર્ન રેલવેને લેખિત રજૂઆત કરી વંદે ભારત એક્ષપ્રેસને વાપી સ્‍ટોપેજની માંગણી કરી છે.

Related posts

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર અને બાલ ભવન ઉપપ્રમુખ સૌરભ મિશ્રાના માર્ગદર્શન હેઠળ દમણ બાલ ભવન બોર્ડના બાળકોએ બાંધકામ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વાપી બલીઠા રેલવે ટ્રેક નજીક અજાણ્‍યા યુવાનની લાશ મળી : શરીર ઉપર ઘા ના નિશાન થકી હત્‍યાની આશંકા

vartmanpravah

Leave a Comment