April 22, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

એમ. ફાર્મ સેમેસ્‍ટર-02ના પરિણામમાં 07 વિદ્યાર્થીઓ જીટીયુ ટોપ ટેન સાથે 100 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા મે-2022માં લેવાયેલી એમ.ફાર્મ સેમેસ્‍ટર-02ની પરિક્ષાઓના પરિણામ જાહેર થતાં, રોફેલ શ્રી જી.એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્મસી, વાપીની 05 વિદ્યાર્થીનીઓએ જીટીયુ ટોપ ટેનમાં સીપીઆઈ પ્રમાણે તેમજ બ્રાંચ પ્રમાણે કુલ 07 વિદ્યાર્થીઓએ સ્‍થાન મેળવી કોલેજ તેમજ વાપીને ગૌરવ અપાવ્‍યું છે.
સી.પી.આઈ. ક્રમ પ્રમાણે જીટીયુ ટોપ ટેનમાં સ્‍થાન મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી રાવન્‍ગ સોનલ યશવંત 9.31 સી.પી.આઈ. સાથે સમગ્ર રાજ્‍યમાં પ્રથમ ક્રમે, રસૈલી રેજીના બિરેન્‍દ્રા 9.15 સી.પી.આઈ. સાથે ત્રીજા ક્રમે, પ્રજાપતિ નિશીતા પ્રકાશભાઈ 9.15 સી.પી.આઈ. સાથે ચોથો ક્રમ, પટેલ અનાલી અશોકભાઈ 9.08 સી.પી.આઈ. સાથે સાતમો ક્રમ તથા પટેલ ધ્રુવિશા પંકજ 9.08 સી.પી.આઈ. સાથે આઠમો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
વધુમાં બ્રાંચ પ્રમાણે પરિણામ જોતાં ક્‍વોલિટી એસ્‍યોરન્‍સ બ્રાંચમાં અગ્રેસર રહેનારા વિદ્યાર્થીઓ પૈકી રાવન્‍ગ સોનલ યશવંત પ્રથમ ક્રમે, રસૈલી રેજીના બિરેન્‍દ્રા દ્વિતીય ક્રમે અને પટેલ ધ્રુવિશા પંકજ ત્રીજા ક્રમે તેમજ ફાર્માસ્‍યુટિક્‍સબ્રાંચમાં જયસ્‍વાલ બિકાસ ચંન્‍દ્રશેખર પાંચમા ક્રમે તથા ફાર્માકોલોજી બ્રાંચમાં પ્રજાપતિ નિશીતા પ્રકાશભાઈ પ્રથમ ક્રમે, પટેલ અનાલી અશોકભાઈ દ્વિતીય ક્રમે અને પુરોહિત પિન્‍કીકુમારી શિવલાલે છઠ્ઠો ક્રમ મેળવી કોલેજને માન અપાવ્‍યુ છે.
ઉપરોક્‍ત સિધ્‍ધિ બદલ સફળ થયેલ વિદ્યાર્થીઓને સમસ્‍ત ટ્રસ્‍ટી ગણ, આચાર્ય શ્રી અરિન્‍દમ પાલ, તથા સ્‍ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્‍યાં હતા.

Related posts

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

દાનહમાં 01 અને દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહી નોંધાયો

vartmanpravah

આ વર્ષે વરસાદ ભૂક્કા કાઢી નાખશે ટીટોડીએ મૂકેલાં ઈંડા પરથી ખેડૂતોએ કરી આગાહી

vartmanpravah

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment