Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

માજી સૈનિક આંદોલન ગાંધીનગરમાં યોજાયેલ ત્‍યારે કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનથી મૃત્‍યુ થયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગુજરાત રાજ્‍યની સામાન્‍ય ચૂંટણી જેટલી ઢુકડી આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો અનેક ચુંથાઈ ગયેલ પડતર મુદ્દા અને માંગણીઓ સાથે પ્રજા વચ્‍ચે લાઈમલાઈટમાં રહેવા માટે મથામણ કરી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીએ પણ એન્‍ટ્રી મારી દીધી છે. આજે વલસાડમાં આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં થયેલ સૈનિક આંદોલન વખતે માજી સૈનિકનું નિધન થયું હતું તે સંદર્ભે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી મૃતક માજી સૈનિક પરિવારને એક કરોડની સન્‍માન રાસી ચૂકવવાની માંગણી કરી હતી.
છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો પડતર માંગણીઓ માટેઆંદોલન કરી રહ્યા હતા. ગતરોજ ગાંધીનગરમાં આંદોલન દરમિયાન પૂર્વ સૈનિક કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનમાં મૃત્‍યુ થયું હતું. જેને લઈ આજે બુધવારે આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને આવેદન પાઠવી માજી સૈનિકોની માંગણી સ્‍વિકારવા તેમજ કાનજીભાઈના પરિવારને રૂા.1 કરોડની સન્‍માન રાસી ચુકવવામાં આવે તેવી માંગણી ઉપસ્‍થિત રહેલા જિલ્લા હોદ્દેદારો અને કાર્યકર્તાએ કરી હતી.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

vartmanpravah

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

Leave a Comment