March 4, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
(સંજય તાડા દ્વારા)
વાપી, તા.14: વલસાડ જિલ્લાના કપરાડાતાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ માંગણીઓ સાથે કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
ગુજરાત સરકાર આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે અન્‍યથા લઘુત્તમ વેતન કાર્યકર બહેનોને 21000/- તથા હેલ્‍પર બેનને 15000/- આપવામાં આવે. કાર્યકર તેમજ હેલ્‍પર બેનને બઢતીથી પ્રમોશન આપવામાં આવે તથા ઉંમરનો બાધ દૂર કરી સીધું પ્રમોશન આપવામાં આવે તથા સીધી ભરતીમાં ગ્રેજ્‍યુએશન થયેલી બહેનોને સીધુ પ્રમોશન ગણી સુપરવાઇઝરમાં પ્રમોશન આપવામાં આવે. મોબાઇલ કે રજીસ્‍ટરમાંથી કોઈપણ એક વાપરવામાં આવે તથા રજીસ્‍ટર અને સ્‍ટેશનરી ખર્ચ સરકાર દ્વારા ચુક્‍વવામાં આવે તથા મોબાઈલ સાથેની કામગીરીમાં નેટવર્ક પ્રોબ્‍લેમ થતા હોય સારી ક્‍વોલિટીના ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ આપવામાં આવે તથા દર મહિને રિચાર્જના નાણા સીધા જમા કરવામાં આવે અન્‍યથા બિલ્‍ડીંગ બીલીંગ દાખલ કરી ડાયરેકટ બિલ સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવે. આંગણવાડી હાલ માનદવેતન હોય તો માનવતના ચાર કલાકથી વધુ કામ ન લેતા સમયમાં ફેરફાર કરી 10.00 થી 2.00 કલાક કરવામાં આવે. બાળકોને નાસ્‍તો આપવા માટે તથા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ દ્વારા પોષણઆપવા માટે ફૂટબીલ નો તમામ ખર્ચ હાલ વર્કરના ફરજમાં જતો હોય જે તાત્‍કાલિક દૂર કરી સરકાર દ્વારા જે તે વિગતનું બિલ એડવાન્‍સ ચૂકવવામાં ગેસ રીફીલ, દરામણ, ફ્રૂટ બિલ વિગેરે આવે જેવા કે ગરમ નાસ્‍તાનુ, આપવામાં આવે. મીની આંગણવાડીને રેગ્‍યુલર તરીકે સમાવવામાં આવે જેથી ફરજ નિભાવવામાં સરળતા પડે આંગણવાડી તથા તેડાગર બહેનને સ્‍થાનિક વિસ્‍તારમાં ફેર બદલીનો લાભ આપવામાં આવે.
બહેનોને પોતાના સ્‍થાનિક ધોરણે પડતી તકલીફો સાંભળવા માટે અગાઉ મુજબ ગ્રિવીગ્‍સ કમિટીની રચના કરવામાં આવે જેથી જિલ્લા સ્‍તરે નિવારણ લાવી શકાય તથા રાજ્‍ય લેવલે અમોને દર ત્રણ મહિને સાંભળવામાં આવે. સરકાર પાસે શકય હોય એટલા જલ્‍દી માંગ પુરી પાડવામાં માટે વિનંતી કરી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

દાનહમાંથી સાંસદ પરિવારની ચાલતી ગુંડાગીર્દી, પરિવારવાદ, ભ્રષ્‍ટાચાર અને આતંકની રાજનીતિ હવે પૂર્ણઃ પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકર

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂબંધી

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

Leave a Comment