June 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: સમગ્ર ગુજરાત રાજ્‍યમાં શાસક પક્ષ ભાજપા સામે ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સરકારી શાળાઓની સુવિધાના અભાવનો મુદ્દો પેચીદો બની રહ્યો છે. ઉમરગામ તાલુકામાં પણ સ્‍થાનિક જન પ્રતિનિધિ અને શાળાના આચાર્યોની રજૂઆતને દર કિનાર કરવાની નીતિના કારણે આ પ્રકારની સમસ્‍યા સર્જાયેલી છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઓરડાના અભાવે ખુલ્લા મેદાન કે છત વગરના હોલમાં બે થી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ સામૂહિક રીતે બેસી અગવડ ભરી પરિસ્‍થિતિમાં મજબૂરીવસ અભ્‍યાસ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. સ્‍થાનિક જન પ્રતિનિધિઓના જણાવ્‍યા અનુસાર શાળાના ઓરડાની માંગની રજૂઆત ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર સમક્ષ અનેકવાર કરવા છતાં પૂર્ણ થવા પામી નથી. ઉમરગામ તાલુકાના માણેકપુર, માંડા નાનકાપાડા, સરીગામ પાગીપાડા સહિત ઘણા વિસ્‍તારોમાં શાળાના મકાનો જર્જરીત હાલતમાં જોવા મળે છે. આર્થિક રીતે નબળા અને આંતરયાડ વિસ્‍તારમાં રહેતા આદિવાસીઓ ખાનગી શાળા નો ખર્ચ સહન કરી શકતા ન હોવાના કારણે લાચાર બની સરકારી શાળાઓમાં અભ્‍યાસ માટે મોકલવામાં આવે છે જ્‍યાં તેમનું ભવિષ્‍ય અંધકારમય બની રહ્યું છે.
ઉમરગામ તાલુકાના મામકવાડ ખાતેની પ્રાથમિક શાળાના પાંચઓરડા જર્જરિત હાલતમાં છે જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી બાળકો ખુલ્લા ગણપતિ હોલમાં અભ્‍યાસ કરવા માટે બેસે છે. એક જ હોલમાં બે થી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે બેસે તો અભ્‍યાસમાં ખલેલ પહોંચી શકે એમાં બે મત નથી. અને શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ધ્‍યાનપૂર્વક અભ્‍યાસ કરાવી શકે એવી અનુકૂળ પરિસ્‍થિતિ સર્જાતી નથી. આ પ્રકારની ઘટના માત્ર મમકવાળમાં જ નથી પરંતુ ઉંમરગામ તાલુકામાં ઘણી જગ્‍યાએ જોવા મળે છે. આ પ્રકારની સર્જાયેલી સમસ્‍યાના નિવારણ માટે શાળાના સંચાલકો તેમજ સ્‍થાનિક જન પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ ઉકેલ આવી શકયો નથી જેની નોંધ રાજ્‍ય સરકારે લેવી જોઈએ.

Related posts

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ પોલીસે આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો કરેલો પર્દાફાશઃ 4 આરોપીની ધરપકડ

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

દાનહના નરોલી સ્‍થિત માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલને પ્રતિષ્‍ઠિત ટ્રેલબ્‍લેઝર એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્‍યક્ષતામાં દીવ ઘોઘલા ખાતે ભાજપ સદસ્‍યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment