August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા વસાહતમાં દોડધામ મચી

સુપ્રિત કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં વહેલી સવારે આગ લાગી : દશ ઉપરાંત ફાયર ફાઈટર ઘટના સ્‍થળે ધસી ગયા

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.16
વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આજે શુક્રવારે સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આગની જાણ બાદ ચારે તરફ દોડધામ મચી જવા પામી હતી.
વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં આવેલી સુપ્રિત કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આજે શુક્રવારે સવારે અચાનક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. આગનું સ્‍વરૂપ એટલું વિકરાળ હતું કે જોત જોતામાં આખી કંપની આગની લપેટામાં આવી ગઈ હતી. ચોમેર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. સુપ્રિત કેમિકલની આગને લઈ આજુબાજુની કંપનીઓમાં પણ ભય ફેઈ ગયો હતો. દરેક કંપનીના કામદારો સલામત અંતરે દોડી ગયા હતા. સુપ્રિતના કામદારો પણ સમય સુચકતા વાપરી કંપનીની બહાર નિકળી આવ્‍યા હતા. આગમાં કોઈ જાનહાનીનો અહેવાલ નથી. આગની જાણ થતા તુરંત વાપી નગરપાલિકા, સરીગામ, અતુલથી 10 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્‍થળે દોડી આવી આગને બુઝાવવાની ભારે જહેમત ઉઠાવી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Related posts

સરકાર દ્વારા સ્‍કૂલવર્ધીવાળા વાહનોને ફરજીયાત ટેક્‍સી પાસિંગના આદેશ વચ્‍ચે ચીખલી તાલુકાની બે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ ટ્રાન્‍સપોર્ટેશનની સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાના સાત જેટલા વકીલોને નોટરી તરીકેની આપવામાં આવેલી માન્‍યતા

vartmanpravah

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ડિસ્‍ટ્રીક્‍ટ વોટર એન્‍ડ સેનિટેશન મિશનની બેઠક મળી

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટનો શકવર્તી ચુકાદો આમલી ખાતે રહેતા યુવાનનું ગળુ દબાવી હત્‍યા કરવાના ગુનાના આરોપીજીજ્ઞેશ ભીખા વાળંદને ફટકારેલી આજીવન કેદની સજા

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

Leave a Comment