September 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

અગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના સંગઠન માળખાના વ્‍યાપને વધારવાની કવાયત શરૂ કરવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 16: નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીની નવી દિલ્‍હી ખાતે નેશનાલીસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્‍ટ શ્રી શરદ પવારના અધ્‍યક્ષસ્‍થાને 10-11 સપ્‍ટેમ્‍બરના રોજ મળેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખો, ફ્રન્‍ટલ ઓર્ગેનાઈઝેશન પ્રમુખો તથા ડિપાર્ટમેન્‍ટના ચેરમેન અને વિવિધ રાજ્‍યોમાં ઓર્બ્‍ઝવર અને કો-ઓર્ડિનેટરોની કરાયેલી નિમણૂકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે શ્રી ધવલભાઈ દેસાઈના નામની ઘોષણા ઉપર એન.સી.પી.ના નેશનલ પ્રેસિડેન્‍ટ શ્રી શરદ પવારેમંજૂરીની મહોર મારી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના એન.સી.પી. સ્‍ટેટ પ્રમુખ બનેલા શ્રી ધવલભાઈ દેસાઈ માટે અગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાનો પણ મોટો પડકાર ઉભો થયો છે અને પ્રદેશમાં પોતાના સંગઠનના વ્‍યાપને વધારવાની કવાયત પણ શરૂ કરવી પડશે.

Related posts

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતનો બીજો દિવસઃ વિકાસકામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા ભારતીય માનક બ્‍યુરો વિષયક અવેરનેસ સેમિનાર યોજાયો

vartmanpravah

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

Leave a Comment