January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

લાખોની ચોરી કરી તસ્‍કરો ફરાર : પોલીસે તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાનું સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ ત્રણ માતાજીના મંદિરોમાં તસ્‍કરો વિતી ગયેલ રાત્રીમાં માતાજી મૂર્તિ શણગારના દાગીના, મુગટ છત્ર અને દાનપેટી મળી લાખોની મત્તા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા માતાના મંદિર આવેલા છે. લાખો શ્રધ્‍ધાળુઓ દર્શન કરવા આવે છે. તેવા આ મંદિરમાં ગત રાત્રે માતાજીના મંદિર ટારગેટ કર્યો હતો. ત્રણેય મંદિરમાં માતાજીના શણગારના દાગીના, 3 સોનાની નથણી, 1 સોનાનો મુગટ, 3.80 કી.ગ્રા. ચાંદીના છત્ર મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્‍કરો ફરાર થઈ ગયા હતા. ટ્રસ્‍ટી પંકજ પટેલ અને બાબુભાઈ પટેલએ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય રેલવે સંચાર ઈલેકટ્રોનિક્‍સ અને ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

બાળકના જન્‍મ પહેલાંથી લઈ તેના અભ્‍યાસ અને આરોગ્‍યની કાળજી લેતી દેશની પહેલી સરકાર એટલે મોદી સરકારઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

Leave a Comment