લાખોની ચોરી કરી તસ્કરો ફરાર : પોલીસે તપાસ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ ત્રણ માતાજીના મંદિરોમાં તસ્કરો વિતી ગયેલ રાત્રીમાં માતાજી મૂર્તિ શણગારના દાગીના, મુગટ છત્ર અને દાનપેટી મળી લાખોની મત્તા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા માતાના મંદિર આવેલા છે. લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તેવા આ મંદિરમાં ગત રાત્રે માતાજીના મંદિર ટારગેટ કર્યો હતો. ત્રણેય મંદિરમાં માતાજીના શણગારના દાગીના, 3 સોનાની નથણી, 1 સોનાનો મુગટ, 3.80 કી.ગ્રા. ચાંદીના છત્ર મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ટ્રસ્ટી પંકજ પટેલ અને બાબુભાઈ પટેલએ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.