December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

લાખોની ચોરી કરી તસ્‍કરો ફરાર : પોલીસે તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાનું સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ ત્રણ માતાજીના મંદિરોમાં તસ્‍કરો વિતી ગયેલ રાત્રીમાં માતાજી મૂર્તિ શણગારના દાગીના, મુગટ છત્ર અને દાનપેટી મળી લાખોની મત્તા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા માતાના મંદિર આવેલા છે. લાખો શ્રધ્‍ધાળુઓ દર્શન કરવા આવે છે. તેવા આ મંદિરમાં ગત રાત્રે માતાજીના મંદિર ટારગેટ કર્યો હતો. ત્રણેય મંદિરમાં માતાજીના શણગારના દાગીના, 3 સોનાની નથણી, 1 સોનાનો મુગટ, 3.80 કી.ગ્રા. ચાંદીના છત્ર મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્‍કરો ફરાર થઈ ગયા હતા. ટ્રસ્‍ટી પંકજ પટેલ અને બાબુભાઈ પટેલએ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment