Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

લાખોની ચોરી કરી તસ્‍કરો ફરાર : પોલીસે તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાનું સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ ત્રણ માતાજીના મંદિરોમાં તસ્‍કરો વિતી ગયેલ રાત્રીમાં માતાજી મૂર્તિ શણગારના દાગીના, મુગટ છત્ર અને દાનપેટી મળી લાખોની મત્તા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા માતાના મંદિર આવેલા છે. લાખો શ્રધ્‍ધાળુઓ દર્શન કરવા આવે છે. તેવા આ મંદિરમાં ગત રાત્રે માતાજીના મંદિર ટારગેટ કર્યો હતો. ત્રણેય મંદિરમાં માતાજીના શણગારના દાગીના, 3 સોનાની નથણી, 1 સોનાનો મુગટ, 3.80 કી.ગ્રા. ચાંદીના છત્ર મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્‍કરો ફરાર થઈ ગયા હતા. ટ્રસ્‍ટી પંકજ પટેલ અને બાબુભાઈ પટેલએ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વલસાડ કમલમમાં આઈ.ટી., સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૪૭ કેસ નોંધાયા: ૫૨૦ ઍકટિવ કેસ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે દશેરાના દા’ડે મોપેડ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાંપાણીમાં ડૂબી જતાં થયેલું મોત

vartmanpravah

વેસ્‍ટર્ન રેલ્‍વે જી.એમ.એ. વાપીમાં કાર્યરત ડી.એફ. સી.આઈ.એલ. પ્રોજેક્‍ટ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકાના ટાંકલ-ખારેલ 7.20 કિ.મીના માર્ગને ફોરલેનકરવા માટે 30.10 કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મંજૂર કરાતા સ્‍થાનિકોમાં આનંદની લાગણી

vartmanpravah

Leave a Comment