Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના સારવણી ગામે બીડ ફળીયામાં રહેતા સીતાબેન અને ચંદુભાઇ પતિ-પત્‍ની ધરમાં હતા. તે દરમ્‍યાન સોમવારના રોજ રાત્રેના નવેક વાગ્‍યાના અરસામાં અચાનક તેમનું મકાન જમીનદોસ્‍ત થતા તેઓ દબાઈ જતા આસપાસના લોકો દોડી આવી તેમનેબહાર કાઢયા હતા અને સ્‍થાનિક આગેવાન સુનિલભાઈ સહિતનાઓ દ્વારા બન્ને દંપતિ ને શરીરે ઇજા થતાં ચીખલીની રેફરલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વરસતા વરસાદમાં અને રાત્રી દરમ્‍યાન અચાનક સવિતાબેનનું કાચું મકાન ધરાશયી થતા છતના નળીયા સહિતનાઓ ભુક્કો બોલી ગયો હતો અને ઘરવખરી, અનાજ, કઠોળ પણ પલળી જતા ચોમાસામાં છત ગુમાવવા સાથે પરિવારને મોટું આર્થિક નુકશાન થયું હતું. સ્‍થાનિક પંચાયત દ્વારા નુકશાની અંગેનો સર્વે કરી પંચકયાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
ચીખલી પંથકમાં બે દિવસથી વરસાદનું જોર ઘટયું છે. પરંતુ ઘનઘોર વાતાવરણ વચ્‍ચે છુટા છવાયો વરસાદ ચાલુ જ રહેતા વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદની માત્રા વધારે રહેવા પામી છે. વરસાદી માહોલ વચ્‍ચે વાતાવરણમાં પણ ઠંડક અનુભવાઇ રહી છે.

Related posts

મારી માટી-મારો દેશ અભિયાનઃ વલસાડમાં નવી પહેલ, ધરાસણાના સખી મંડળને દીવા અને કળશ થકી આજીવિકા મળી

vartmanpravah

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

વાપી આનંદનગર-છરવાડા અંડરબ્રિજની ચાલતી કામગીરીને લઈ નિરંતર ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

vartmanpravah

Leave a Comment