Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.20: ઉમરગામ તાલુકામાં માલધારી સમાજના અગ્રણીઓએ આજરોજ એકત્રિત થઈ રાજ્‍ય સરકારની ઢોર નિયંત્રણ અને ગોચરણ જમીનને ખાલી કરાવવાના મુદ્દે અપનાવેલી ઢીલી નીતિ સામે જોરદાર વિરોધ નોંધાવ્‍યો હતો. માલધારી સમાજના અગ્રણી શ્રી કરસનભાઈ ભરવાડે એમના ગુરુઓ તરફથી મળેલા આદેશને સરકાર સમક્ષ મુકતા જણાવ્‍યું હતું કે આવતીકાલે તમામ માલધારી સમાજના યુવાનો દૂધનું વિતરણ નહીં કરી સરકાર સામે વિરોધ નોંધાવશે. આ તબક્કે સરકારશ્રીને રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે રખડતા ઢોર પાસે રોડ ઉપર બેસવા કે ઊભા રહેવા સિવાય જગ્‍યા નથી જેથી ગૌચરની જમીન સરકારશ્રી ખાલી કરાવી આપે.
અત્રે નોંધનીય છે કે, રખડતા ઢોર નિયંત્રણ કાયદો અમલમાં લાવ્‍યા બાદ માલધારી સમાજમાં સરકાર સામે પ્રચંડ વિરોધ રાજ્‍યભરમાં જોવા મળી રહ્યો છે. રાજ્‍યમાં દરેક તાલુકામાં ગૌચરની જમીન ઉપર રાજકીય વગ ધરાવતા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રત્‍યક્ષ કે પરોક્ષ કબજે કરેલાઓનું ઘણીવાર પ્રકાશમાં આવ્‍યું છે. જેમાંથી ઉમરગામ તાલુકો પણ બાકાત નથી. ધોડીપાડા, સરઈ ફાટક, સોળસુંબા, દેહરી, સંજાણ સહિતના અનેક વિસ્‍તારોમાં આ પ્રકારની ગેરકાયદેસર જમીન કબજે કરેલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને સરકાર સમક્ષરજૂઆતો પણ કરવામાં આવેલી છે.

Related posts

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

vartmanpravah

Leave a Comment